Western Times News

Gujarati News

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર લાગેલો પ્રતિબંધ 28મી ફેબ્રુઆરી સુધી રહેશે અમલી

નવી દિલ્હી, ભારત સરકારનું કહેવું છે કે, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર લાગેલો પ્રતિબંધ 28મી ફેબ્રુઆરી સુધી અમલી રહેશે. DGCAએ ગુરુવારે આ જાણકારી આપી. કોરોનાકાળમાં નવા સ્ટ્રેનના ભયને જોતા યુરોપિયન દેશોમાં વધી રહેલા કેસો વચ્ચે આ નિર્ણય કરવામાં આવ્યો છે. રેગ્યૂલર ફ્લાઈટ પર જ્યાં એકબાજુ પ્રતિબંધ લાગેલો છે ત્યારે વંદે ભારત મિશન હેઠળ સિમિત સંખ્યામાં ફ્લાઈટ શરૂ છે.

ભારતે અન્ય દેશોની રેગ્યૂલર ફ્લાઈટ પર પ્રતિબંધ જાળવી રાખ્યો છે પરંતુ ઘરેલું ફ્લાઈટ્સના સંચાલનમાં સતત તેજી આવી રહી છે. ભારતીય વિમાનન કંપનીઓ માટે ઘરેલુ ફ્લાઈટ્સ સંચાલન સંખ્યાને કોરોનાથી પહેલાના સ્તરની સરખામણીએ 70થી વધીને 80% કરવામાં આવી ચુક્યું છે.

વિમાનન કંપનીઓ કોરોનાકાળ પહેલાના સ્તરની સરખામણીએ 70% ઘરેલુ પેસેન્જર ફ્લાઈટ સંચાલન કરી શકે છે. ડોમેસ્ટીક ફ્લાઈટ સંચાલન 25મી મેએ 30 હજાર મુસાફરો સાથે શરૂ થયું હતું અને હવે 30 નવેમ્બર 2020એ આ આંકડો 2.52 લાખે પહોંચ્યો છેે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.