આંધ્રપ્રદેશ અને ઓડિશા પાસે ૧૦ મેના રોજ પહોંચશે ‘અસાની’ વાવાઝોડું
દેશના અનેક રાજ્યોમાં હવામાન બદલાઈ રહ્યું છે. આગામી ૨૪ કલાકમાં વાવાઝોડું બંગાળની ખાડી પર પહોંચી જશે. આ દરમિયાન કેટલાક રાજ્યોમાં ૪૫ થી ૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેથી અનેક સ્થળો પર ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર વાવાઝોડું આંધ્રપ્રદેશ અને ઓડિશા પાસે ૧૦ મેના રોજ પહોંચી જશે. આ વાવાઝોડાનું નામ ‘અસાની’ રાખવામાં આવ્યું છે.
આ ચક્રવાત વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરથી ૧૦થી ૧૧ મે સુધી પહોંચશે. અસાની ચક્રવાતને લઈ હવામાન વિભાગ તરફથી ચેતવણી ઈશ્યૂ કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કેસ અંડમાન અને નિકોબારમાં ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન બંગાળની ખાડીની આસપાસ ૪૫ થી ૬૫ કિ.મી.પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
આ સિવાય દરિયા કિનારે રહેતા નાગરિકોને પણ એલર્ટ કરાયા છે. તેમજ માછીમારોને ચેતવણી આપી છે કે આગામી ત્રણથી ચાર દિવસ દરિયામાં માછીમારી માટે ન જોય.
દક્ષિણ આંદામાન સમુદ્ર પરનું નીચા દબાણનું ક્ષેત્ર ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને અને આવતા સપ્તાહની શરૂઆતમાં આંધ્રપ્રદેશ-ઓડિશાના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે. અધિકારીઓએ આ માહિતી આપી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, હવામાન પ્રણાલી ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી શકે છે
અને દક્ષિણ આંદામાન સમુદ્ર અને તેની નજીકના દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર દબાણ વિસ્તારમાં ફેરવાય તેવી શક્યતા છે. રવિવાર સાંજ સુધીમાં તે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. હવામાન કચેરીએ ચક્રવાતી વાવાઝોડાને જોતા આવતા સપ્તાહે પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં વાવાઝોડા અને ભારે વરસાદની ચેતવણી પણ આપી છે.
ઓડિશા સરકાર અનુસાર, હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને ફાયર સર્વિસીસને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ ઉનાળામાં આ પ્રદેશે ચક્રવાતી તોફાનોનો અનુભવ કર્યો હતો. ઓડિશામાં ૨૦૨૧માં ‘યાસ’, ૨૦૨૦માં ‘અમ્ફાન’ અને ૨૦૧૯માં ‘ફાની’ હતી.
ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, લો પ્રેશર એરિયા ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં દબાણ વિસ્તારમાં ફેરવાઈ રહ્યું છે અને પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની શક્યતા છે. તે ૧૦ મે સુધીમાં દરિયાકાંઠે પહોંચી શકે છે. મહાપાત્રાએ કહ્યું, “અમે હજુ સુધી આગાહી કરી નથી કે તે ક્યાં દસ્તક આપશે. અમે તેના નોક દરમિયાન પવનની સંભવિત ગતિનો પણ કોઈ ઉલ્લેખ કર્યો નથી.
ઓડિશાના વિશેષ રાહત કમિશનર પી.કે.જેનાએ કહ્યું હતું કે “અમે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ),ઓડિશા ડિઝાસ્ટર રેપિડ રિસ્પોન્સ ફોર્સની ૧૭ ટીમો અને ફાયર વિભાગની ૧૭૫ ટીમોને બોલાવી છે,” આ સિવાય એનડીઆરએફ સત્તાવાળાઓને કોઈપણ ઈમરજન્સી માટે ૧૦ વધુ ટીમો તૈયાર રાખવા વિનંતી કરવામાં આવી છે. જેનાએ કહ્યું કે ભારતીય નેવી અને કોસ્ટ ગાર્ડને દરિયામાં માછીમારોની હિલચાલ પર નજર રાખવા માટે સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.
મહાપાત્રાએ કહ્યું, “આઈએમડી ચક્રવાત, તેના પવનની ગતિ, પછાડવાની જગ્યા વિશે ૭ મેના રોજ દબાણ ક્ષેત્રની રચના પછી જ માહિતી આપી શકે છે. દરિયામાં ઉંચા મોજોને કારણે ૯મી મેથી માછીમારોએ ત્યાં ન જવું જોઈએ.
અમારું અનુમાન છે કે ચક્રવાતી તોફાન દરમિયાન પવનની ઝડપ ૮૦-૯૦ કિમી પ્રતિ કલાકની રહેશે.ઓડિશા ઉપરાંત ચક્રવાતી તોફાન આસાનીની અસર પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, ઉત્તર-પૂર્વના ઘણા રાજ્યોમાં જોવા મળી શકે છે આઇએમડીએ ઓડિશા માટે યલો એલર્ટ જોહેર કર્યું છે
ફાયર સર્વિસના મહાનિર્દેશક એસ કે ઉપાધ્યાયે જણાવ્યું કે ફાયર બ્રિગેડના કર્મચારીઓની રજો રદ કરવામાં આવી છે. જેનાએ જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટરને એલર્ટ કરવામાં આવ્યા છે અને તમામ જરૂરી પગલાં લેવા જણાવ્યું છે.આ પહેલા ડિસેમ્બર ૨૦૨૧માં વાવાઝોડુ જોવડ ભારતમાં આવ્યું હતું. સાથે જ ચક્રવાત ગુલાબે સપ્ટેમ્બર ૨૦૨૧ માં દસ્તક આપી હતી, જ્યારે મે ૨૦૨૧ માં, ચક્રવાત યાસે બંગાળ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં તબાહી મચાવી હતી.