આઈ હોસ્પિટલમાં ૧૦ અધ્યતન ઓપરેશન થિયેટરોનો શુભારંભ કરવામાં આવ્યો
(પ્રતિનિધિ) ગોધરા, શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ સંચાલિત શ્રી આઈ હોસ્પિટલ નારાયણ તાજપુરા મુકામે આવેલ છે જેમાં વડોદરા , લુણાવાડા , બોડેલી , ડભોઇ જેવા જુદા જુદા સ્થળોએ આવેલ નારાયણ વિઝન સેન્ટરથી દર્દીઓને તાજપુરા હોસ્પિટલ સુધી લાવવા લઈ જવાની વ્યવસ્થા તથા તાજપુરામાં દર્દીઓને રહેવા ખાવા પીવાની , દવા , ઓપરેશનની વ્યવસ્થા સાથે સાથે ઓપરેશન પછીની જરૂરી બધી જ સુવિધા અને સારવાર બિલકુલ નિશુલ્ક પૂરી પાડવામાં આવે છે . શ્રી નારાયણ આઈ હોસ્પિટલમાં વર્ષે ૫૫ હજાર કરતાં વધુ ઓપરેશન કરવામાં આવે છે .
આ સુવિધાઓ માં આજરોજ સેન્ટ્રલાઈઝ એરકન્ડીશન ની સુવિધા સાથેના વધુ ૧૦ અદ્યતન ઓપરેશન થિયેટરનો ઉમેરો કરવામાં આવ્યો હતો . વધુ ૧૦ અદ્યતન ઓપરેશન થિયેટર ઉમેરાતા હવે દર્દીઓના ઓપરેશન ની સંખ્યા વધશે અને અદ્યતન સારવાર દર્દીઓને બિલકુલ નિશુલ્ક મળી રહેશે .
ઓપરેશન થિયેટર તથા તેની સાથે બ રૂમ , બ્લોક રૂમ , ચેન્જંગ રૂમ , સ્ટરલાઇટ રૂમ તથા દર્દીઓ માટે વેઇટિંગ રૂમની પણ એર કન્ડિશન સુવિધાઓ સહિત ઊભી કરવામાં આવી આ જુદી જુદી સુવિધા ઓ નું ઉદ્ઘાટન નારાયણ પરિવારના ભક્તો તથા જુદા જુદા સભ્યો દ્વારા કરવામાં આવ્યાં હતાં . ઉદ્ઘાટન મુખ્યત્વે શ્રી નારાયણ પરિવારના છાણી , મુંબઈ , નાસિક , હાલોલ , તાજપુરા વડોદરા જેવા અન્ય જુદા જુદા સ્થળોએ રહેતા શ્રી નારાયણ પરિવારના સભ્યો ભક્તો દ્વારા કરવામાં આવ્યાં હતાં .