આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુ ૩૧ ડિસેમ્બર સુધી લંબાવાયો

ગાંધીનગર, આજે રાજ્યના ૮ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદ્દત પુર્ણ થતાં હવે તેને ૩૧ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર નાઈટ કર્ફ્યૂની ગાઈડલાઈન ૩૧મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.
ઉલ્લેખનીય છે, કોરોનાના કેસોમાં વધારો ન થતાં રાજ્ય સરકારે નિયંત્રણો હળવા કર્યા હતા અને ૧થી ૧૦ ડિસેમ્બર સુધી રાજ્યના ૮ મહાનગરપાલિકામાં રાત્રિ કર્ફ્યૂમાં લંબાવ્યો હતો.
બીજી તરફ રાજ્યમાં વધતા જતા ઓમિક્રોનના ભય વચ્ચે સરકાર દ્વારા વધુ કડક નિયંત્રણો લાદવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યના જે આઠ મહાનગરપાલિકામાં નાઈટ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે તેમાં, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગરનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકાર દ્વારા અગાઉ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનની સૂચનામાં કહેવામાં આવ્યું હતું કે તમામ દુકાનો અને સંસ્થાઓ મધરાત સુધી ખુલ્લી રહી શકશે. તેમજ રેસ્ટોરન્ટ ૭૫% ક્ષમતા સાથે મધ્યરાત્રિ સુધી ખુલ્લી રહી શકે છે અને સિનેમા હોલ ૧૦૦% ક્ષમતા પર કામ કરી શકે છે.
ઉપરાંત જીમ ૭૫% ક્ષમતા બગીચા અને ઉદ્યાનો રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું. જામનગરમાં ઝિમ્બાવવેથી આવેલા ૭૨ વર્ષીય વૃદ્ધમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટની પુષ્ટિ થયા બાદ આજે હવે તેમના પત્ની અને સાળાનો પણ ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાઈ ગયો છે.
આ સાથે જ ગુજરાતમાં હવે ઓમિક્રોન વેરિયન્ટના કેસોની કુલ સંખ્યા ૩ પર પહોંચી ગઈ છે અને આ ત્રણેય કેસ જામનગરમાં જ નોંધાતા આસપાસના લોકોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે.
કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોનાની સારવાર માટે વધુ માળખું ગોઠવવા સૂચના આપી છે. ક્લિનિક સારવારમાં વપરાતી આઠ મહત્વની દવાઓનો પૂરતો બફર સ્ટોક સુનિશ્ચિત કરવા, કેસોમાં સંભવિત વધારાને પહોંચી વળવા માટે હોસ્પિટલોની પૂર્વ તૈયારી અંગેની સમીક્ષા કરવા માટે તાકીક કરવામાં આવી છે.SSS