આનંદનગરમાં થયેલી પત્નીના આશિકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો
પત્નીના મૃતક સાથે આડાસંબંધ હોવાના કારણે પત્નીના આશિકને મોતને ઘાટ ઉતારવાનું આરોપીએ નક્કી કર્યું હતું
અમદાવાદ, આનંદનગર વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે થયેલ હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પડોશમાં રહેતા આરોપી સુરેશભાઈ કિશોરલાલ વડગાની આનંદનગર પોલીસે ધરપકડ કરી લીધી છે. જાે કે હત્યા કરવા પાછળનું કારણ ખુબ જ ચોંકાવનારૂ સામે આવ્યું છે.
પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપીનું નામ સુરેશ વડગા છે. તેણે પોતાના પાડોશીની હત્યા કરવાનો આરોપ છે. આરોપી આનંદ નગરમાં આવેલ કૃષા ફ્લેટમાં રહતો હતો. ગઇકાલે મોડી રાત્રે પડોશમાં રહેતા સંજય નવલખાને પેટ અને છાતીના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો.
પોલીસે ગુનો દાખલ કરીને તપાસ કરતા હત્યા કરવા પાછળનું કારણ સામે આવ્યું કે આરોપી સુરેશની પત્નીના મૃતક સાથે આડાસંબંધ હોવાની જાણ આરોપીને થઇ હતી. જેના કારણે સંજય નવલખા નામના પત્નીના આશિકને મોતને ઘાટ ઉતારવાનું નક્કી કર્યું હતું.
રાત્રીના સમયે મૃતક સંજય નવલખા ઘરે જતો હતો તે સમયે આરોપીએ સોસાયટીમાં જાહેરમાં સંજય નવલખાને પેટ અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ફરાર થઈ ગયો હતો. જાેકે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી હતી.
આરોપીની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, સુરેશ છૂટક મજૂરી કરતો અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. જાેકે અગાઉ આજ બાબતે મૃતક અને આરોપી વચ્ચે માથાકૂટ પણ થઈ હતી. જાે કે તેમ છતા પણ મૃતકે પોતાની પત્ની સાથે આડા સંબંધો શરૂ રાખ્યા હતા.
તકરાર થોડાક સમય પહેલા મૃતકના પુત્ર અને તેની પત્નીના આડાસંબંધની શંકા કરીને તેની સાથે પણ માથાકૂટ કરી હતી. હાલ તો પોલીસે આરોપી સુરેશની પોલીસે ધરપકડ કરીને વધારે તપાસ હાથ ધરી છે. આ સાથે જ આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે કેમ તેને લઈને પણ તપાસ શરું કરી છે.