Western Times News

Gujarati News

આમોદમાં રોગ પ્રતિકારક ઉકાળનું પાલિકાના અપક્ષ સદસ્ય તરફથી વિતરણ

કન્ટેઈનમેન્ટ એરિયામાં ઘરે ઘરે ઉકાળો વ્હેચ્યો.

ભરૂચ, આમોદ વણકરવાસમાં કોરોના પોઝીટીવ કેસ મળ્યા બાદ વિસ્તારના લોકો સંક્રમિત ના થાય માટે ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા વણકરવાસને કન્ટેઈનમેન્ટ એરિયા જાહેર કરી લોકોની અવરજવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો હતો.ત્યારે વિસ્તારમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે માટે આમોદ સીવીક સેન્ટર તથા આમોદ પાલિકાના અપક્ષ નગર સેવક અક્ષર પટેલ તરફ થી આમોદ દિલાવર મંજીલ ખાતે રાહદારીઓ તથા વણકરવાસમાં ઘરે ઘરે અને ફેસિલિટી કોરોન્ટાઈન કરેલા ગુરુકુળ ખાતે આયુર્વેદિક ઉકાળનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત આમોદ ગુરુકુળ ખાતે ફેસિલિટી કોરોન્ટાઈન કરેલા લોકોને આમોદ શહેરના એક અગ્રણી દાતા તરફ થી સવાર-સાંજ ચા-નાસ્તાની વિના મૂલ્યે સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.તેમજ આમોદ નગરમાં ભાજપ તરફથી નગરસેવકને સાથે રાખી લોકડાઉન વખતથી જ જરૂરિયાતમંદોને રાશનની કીટ આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.