Western Times News

Gujarati News

આમોદમાં લક્ષ્મીનારાયણ મંદિરે મર્યાદિત સંખ્યામાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવી પ્રથમ પાટોત્સવ ઉજવાયો.

નાહીયેર ગુરુકુળના ડી કે સ્વામી ખાસ ઉપસ્થિત રહી ભગવાનની આરતી કરી હતી.

ભરૂચ, આમોદ આમલીપુરા કાછીયાવાડ ખાતે આવેલા લક્ષ્મીનારાયણ મંદિરનો આજ રોજ પ્રથમ પાટોત્સવ મર્યાદિત સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સ જાળવીને સાદગી થી ઉજવવામાં આવ્યો હતો.પાટોત્સવની પૂજામાં માત્ર બે દંપતિઓએ બેસી પૂજા અર્ચના કરી હતી.લક્ષ્મીનારાયણની ભગવાનના પૂજનમાં બેઠેલા બ્રાહ્મણો તેમજ દંપતીઓએ પણ સોશિયલ ડિસ્ટન્સ રાખી મોઢા ઉપર માસ્ક પહેરી પૂજન કર્યું હતું. પાટોત્સવ નિમિતે નાહીયેર ગુરુકુળના પૂજ્ય ડી કે સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને લક્ષ્મીનારાયણ ભગવાનની આરતી કરી હતી.તેમજ વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારી લોકોનું આરોગ્ય તંદુરસ્ત રહે તેવી વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.મંદિરના ટ્રસ્ટીઓ તરફથી ઘરે ઘરે ભગવાનનો પ્રસાદ પહોંચાડવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.