આર્થિક રીતે નબળા વર્ગને પણ તાત્કાલિક રીતે અનામતના વ્યાપમાં લવાશે

નવીદિલ્હી: ઓલ ઈન્ડિયા કોટો ઓફ મેડિકલ એજ્યુકેશનમાં ઓબીસી વર્ગ માટે અનામતની માંગ ચાલુ છે. સરકારી સૂત્રો અનુસાર, આ મુદ્દાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સમીક્ષા બેઠક કરી હતી. આ દરમિયાન તેઓએ આર્થિક રીતે નબળા વર્ગને પણ તાત્કાલિક રીતે અનામતના વ્યાપમાં લાવવાની વાત કહી છે. બેઠકમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન,પરિવાર અને સ્વાસ્થ્ય કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા સહિત અનેક વિભાગોના સહિત ઉપસ્થિત હતા.
રાજ્ય સંચાલિત મેડિકલ કોલેજાેમાં યૂજીમાં ૧૫ ટકા અને પીજીમાં ૫૦ ટકા સીટો ઓલ ઈન્ડિયા કોટા હેઠળ આવે છે. તેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અનામત મળે છે, પરંતુ અન્ય પછાત વર્ગને અનામતની જાેગવાઈ નથી. અહેવાલ છે કે સમીક્ષા બેઠકમાં વડાપ્રધાન મોદીએ ઈચ્છા વ્યક્ત કરી કે મેડિકલ એજ્યુકેશનમાં ઓબીસી અનામતનો મુદ્દો સંબંધિત મંત્રાલયો તરફથી કોર્ટની બહાર પ્રાથમિકતા સાથે ઉકેલી લેવો જાેઈએ.
મોદીએ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને આર્થિક રીતે નબળા વર્ગ માટે પણ અનામત લાગુ કરવાની વાત કહી છે. વડાપ્રધાને મંત્રાલયના અધિકારીઓ સાથે અલગ-અલગ રાજ્યોમાં મેડિકલ એજ્યુકેશનને લઈને ઇડબ્લ્યુએસ અનામતની હાલની સ્થિતિની સમીક્ષા કરવા માટે પણ કહ્યું છે. વડાપ્રધાને સ્વાસ્થ્ય મંત્રાલયને નિર્દેશ આપ્યા છે કે તેઓ તમામ રાજ્યોથી જાણકારી પ્રાપ્ત કરો કે ત્યાં ઈડબ્લ્યુએસ વર્ગના અનામતની યોજનાની શું સ્થિતિ છે.
પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગોના અનેક ગણમાન્ય વ્યક્તિઓ અને સંગઠનોએ સોમવારે કેન્દ્ર સરકારથી આગ્રહ કર્યો કે આ વખતે વસ્તી ગણતરીમાં જાતિ આધારિત આંકડા પણ એકત્ર કરવામાં આવે જેથી વિવિધ ક્ષેત્રોમાં પણ તમામ પાત્ર સમુદાયોને અનામતનો યોગ્ય લાભ મળી શકે. આ વ્યક્તિઓ અને સંગઠનોએ સોશિયલ રેવલ્યૂશન અલાયન્સના બેનર હેઠળ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં એવું પણ કહ્યું કે મેડિકલ પ્રવેશ પરીક્ષામાં ઓબીસી માટે અનામત સુનિશ્ચિત કરવું જાેઈએ.