Western Times News

Gujarati News

આસામની બ્રહ્મપુત્રા નદીમાં બે બોટ ટકરાતાં ૧૦૦ ગુમ

દિસપુર, અસમમાં બ્રહ્મપુત્ર નદીમાં બુધવારે બે નાવની વચ્ચે ટક્કર થયા બાદ કેટલાક લોકો લાપતા થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યુ કે આ બંને નાવમાં લગભગ ૧૦૦ લોકો સવાર હતા. નાવ દુર્ઘટનાની જાણકારી પર રાજ્યના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યુ અને તાત્કાલિક રેસ્ક્યુ કરવાના આદેશ આપ્યા છે.

અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ જાેરહાટમાં નિમતી નજીક થયેલા નાવ દુર્ઘટનાની પુષ્ટિ કરતા આને દુઃખદ ઘટના કરાર કરી. તેમણે કહ્યુ, રાજ્યના મંત્રી બિમલ બોરાહને કહ્યુ કે તેઓ તાત્કાલિક ઘટના સ્થળે જાઓ. તેમણે આગળ કહ્યુ હુ કાલે નિમતી ઘાચ જઈશ.

અસમ સીએમે કહ્યુ કે મજૂલી અને જાેરહાટ વહીવટીતંત્રએ નિર્દેશ આપ્યા કે તેઓ રાષ્ટ્રીય આપત્તિ રાહત દળ અને રાજ્ય આપત્તિ રાહત દળની મદદથી પોતાનુ રેસ્ક્યુ મિશન તેજ કરે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.