આ કારણસર ભારતને ૩.૨ અબજ ડોલરનું નુકસાન થયું હતું

વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશનના અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો-૨૦૨૧ માં ખંડમાં ખરાબ હવામાનથી ૩૫.૬૦ બિલિયન ડોલરનું નુકસાન
ચીનને ૧૮.૪ અબજ ડોલરનું આર્થિક નુકસાન થયું હતું, તો ભારતને ૩.૨ અબજ ડોલરનું નુકસાન થયું હતું, લગભગ ૫૦ મિલિયન લોકોને અસર થઈ
નવી દિલ્હી, ગયા વર્ષે એશિયામાં દુષ્કાળ, પૂર અને ભૂસ્ખલનથી મોટા પાયે વિનાશ થયો હતો. વર્ષ ૨૦૨૧ માં, ખંડમાં ખરાબ હવામાનને કારણે કુલ ૩૫.૬૦ બિલિયન ડોલરનું નુકસાન થયું હતું અને લગભગ ૫૦ મિલિયન લોકોને અસર થઈ હતી. ચીનને સૌથી વધુ ૧૮ અબજ ડોલરનું નુકસાન થયું છે.
વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએમઓ)ના અહેવાલ મુજબ, ગયા વર્ષે એશિયામાં ખરાબ હવામાનને કારણે મોટું નુકસાન થયું હતું. જ્યારે ચીનને ૧૮.૪ અબજ ડોલરનું આર્થિક નુકસાન થયું હતું, તો ભારતને ૩.૨ અબજ ડોલરનું નુકસાન થયું હતું. ૨૦૨૧માં પૂરને કારણે ચીનમાં સૌથી વધુ આર્થિક નુકસાન થયું હતું.
આ પછી ભારતનું સ્થાન આવ્યું. તે જ સમયે, થાઇલેન્ડમાં પૂરને કારણે ૦.૬ બિલિયન ડોલરનું નુકસાન થયું હતું. વાવાઝોડાને કારણે મોટી આર્થિક તબાહી પણ થઈ હતી. તેનાથી ભારતમાં ૪.૪ બિલિયન ડોલર, ચીનમાં ૩.૦ બિલિયન ડોલર, જાપાનમાં ૨ બિલિયન ડોલરનું નુકસાન થયું છે. ડબલ્યુએમઓએ એશિયામાં આબોહવા ૨૦૨૧ની સ્થિતિ પર જાહેર કરેલા રિપોર્ટમાં આ માહિતી આપી છે.
અહેવાલમાં, આબોહવા પરિવર્તન માનવ, નાણાકીય અને પર્યાવરણીય અસરોને કેવી રીતે અસર કરે છે તેની રૂપરેખા આપે છે. આ ખાદ્ય સુરક્ષા, ગરીબી નાબૂદી અને ટકાઉ વિકાસના લક્ષ્યોની સિદ્ધિમાં અવરોધરૂપ છે. રિપોર્ટમાં ભવિષ્યમાં જળ સંકટ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
હિમાલય અને તિબેટીયન ઉચ્ચપ્રદેશ સહિત ઉચ્ચ પર્વતીય એશિયામાં ધ્રુવીય ક્ષેત્રની બહાર બરફનો સૌથી વધુ જથ્થો છે. તે લગભગ ૧,૦૦,૦૦૦ કિમીના વિસ્તાર સાથે બે ગ્લેશિયર ક્ષેત્રોનો સમાવેશ કરે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ગ્લેશિયર પીગળવાનો દર ઝડપથી વધી રહ્યો છે. વર્ષ ૨૦૨૧ માં, અસાધારણ ગરમ અને શુષ્ક પરિસ્થિતિઓને કારણે ઘણા ગ્લેશિયર્સને ભારે નુકસાન થયું હતું.
આ જળાશયો પૃથ્વીના આ સૌથી ગીચ વસ્તીવાળા ભાગ એટલે કે, એશિયા માટે તાજા પાણીના પુરવઠાનો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત છે. તેથી, ગ્લેશિયર્સ પીગળવાની અસર ભાવિ પેઢીઓ પર પડશે.ઉસ્ર્ંના સેક્રેટરી-જનરલ પ્રોફેસર પીટરી તાલાસે જણાવ્યું હતું કે, આ અહેવાલમાં આબોહવા સૂચકાંકો અને ભારે હવામાનની ઘટનાઓ પ્રતિબિંબિત થાય છે. ભવિષ્યમાં મોટા ભાગના એશિયામાં વરસાદમાં અપેક્ષિત વધારો દર્શાવે છે કે, પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓને મજબૂત કરવી કેટલી મહત્વપૂર્ણ છે.
આ ડબલ્યુએમઓ રિપોર્ટ સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક (ઈએસસીએપી) સાથે મળીને તૈયાર કરવામાં આવ્યો છે. તે શર્મ અલ શેખ, ઇજિપ્તમાં સંયુક્ત રાષ્ટ્ર ક્લાયમેટ ચેન્જ ડાયલોગ, સીઓપી૨૭ દરમિયાન રજૂ કરવામાં આવ્યું હતું.
ત્યારે અહેવાલ દર્શાવે છે કે, કેવી રીતે, છેલ્લા ૨૦ વર્ષોમાં, આપત્તિઓથી આર્થિક નુકસાન વધી રહ્યું છે. ૨૦૦૧-૨૦૨૦ ની વચ્ચે દુષ્કાળથી આર્થિક નુકસાનમાં ૬૩ ટકાનો વધારો થયો છે. પૂરમાં ૨૩ ટકા અને ભૂસ્ખલનમાં ૧૪૭ ટકાનો વધારો થયો છે. ૨૦૨૧માં એશિયામાં કુદરતી આફતની ૧૦૦ થી વધુ ઘટનાઓ બની હતી.
તેમાંથી ૮૦ ટકા પૂર અને તોફાન સંબંધિત હતા. જેના કારણે ૪,૦૦૦ લોકોના મોત થયા હતા. તેમાંથી ૮૦ ટકા પૂરના કારણે હતા. આ આપત્તિઓથી ૪૮.૩ મિલિયન લોકો સીધી રીતે પ્રભાવિત થયા હતા અને ૩૫.૬ બિલિયન ડોલરનું નુકસાન થયું હતું.