ઈન્ડોનેશિયાનો પામતેલની નિકાસ પરનો પ્રતિબંધ રદ્દ
મુંબઇ, ખાદ્યતેલોના ઉંચા ભાવની સમસ્યાનો સામનો કરી રહેલા ભારતીયો માટે રાહતજનક સમાચાર આવ્યા છે. ઇન્ડોનેશિયાએ ૨૩ મે, ૨૦૨૨ સોમવારથી પામતેલની નિકાસ પર મૂકેલો પ્રતિબંધ હટાવી લેવાની જાહેરાત કરી છે. ઇન્ડોનેશિયાએ ૨૮ એપ્રિલના રોજ તમામ પ્રકારના ખાદ્યતેલોની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.
ઇન્ડોનેશિયાના પ્રમુખ જાેકો વિડોડોએ ગુરુવારે જણાવ્યું કે, સ્થાનિક સ્તરે ખાદ્યતતેલોના પુરવઠાની સ્થિતિમાં સુધારા થતા સોમવાર – ૨૩મી મેના રોજ તેની પામતેલની નિકાસ પર પ્રતિબંધ હટાવી લેવામાં આવશે.SS2MS