Western Times News

Gujarati News

ઉતરપ્રદેશનાં બીજનોરમાં જબરો વિસ્ફોટઃ ત્રણના મોત

બીજનોર,  ઉતરપ્રદેશનાં બીજનોરમાં એક ગોડાઉનમાં આજે જબરો વિસ્ફોટ થતા ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ ગોડાઉન ફટાકડાનું હતું તેવું બહાર આવ્યું છે અને અંદર અચાનક જ વિસ્ફોટ થતા તેમાં કામ કરી રહેલ અનેક લોકો ભોગ બન્યા છે.જેમાં ત્રણ લોકોના મોત થયા હોવાનું અને અન્ય ઘાયલ થયા હોવાનું માનવામાં આવે છે.

આ વિસ્ફોટના કારણે ગોડાઉનની છત ઉડી ગઈ હતી અને બાદમાં લગભગ ૩૦ મીનીટ સુધી આગ અને વિસ્ફોટ ચાલુ રહ્યા હતા અને આ ઘટનાને કારણે ભારે નાસભાગ મચી ગઇ હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.