ઉત્તરાખંડમાં વધુ એક માર્ગ અકસ્માતમાં ૫ લોકોના મોત થયા
નૈનીતાલ, ઉત્તરાખંડમાં વધુ એક માર્ગ અકસ્માતમાં ૫ લોકોના મોત થયા હતા. નૈનીતાલ જિલ્લાના ઓખાલકાંડા પાસે એક કાર ઊંડી ખીણમાં પડી, જેમાં ૫ લોકોના મોત થયા. આ કારના ચાલકને ઈજા થઈ છે, તેની નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર ચાલી રહી છે.
ઉત્તરાખંડમાં ગુરુવારે બે મોટા માર્ગ અકસ્માત થયા છે. પ્રથમ અકસ્માતમાં, ટિહરીમાં યુટિલિટી કાર ખાડામાં પડતાં માર્ગ અકસ્માતમાં ૫ લોકોનાં મોત થયાં હતાં. આ પછી, મોડી સાંજે નૈનીતાલ જિલ્લાના ઓખાલકાંડા બ્લોકમાં રેથા સાહિબ રોડ પર એક પીકઅપ ઊંડી ખીણમાં પડી ગયું. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ૫ મુસાફરોના મોતના સમાચાર પણ સામે આવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે પીકઅપમાં ૬ લોકો હતા, પીકઅપના ચાલકને ઈજા થઈ છે. ગુરુવારે સાંજે પટલોટથી રીઠા સાહિબ જવા માટે પિક-અપ મુસાફરોને લઈને રવાના થઈ હતી. સાંજે લગભગ સાત વાગ્યાના અરસામાં અધોડા માર્ગના કોરા નામના સ્થળે તે બેકાબૂ થઈને ઉંડી ખીણમાં પડી ગઈ હતી.
આ અકસ્માતમાં વાહન પલ્ટી મારી ગયું હતું અને આ દર્દનાક અકસ્માતમાં બે બાળકો, એક મહિલા અને બે પુરૂષો સહિત પાંચ લોકોના મોત થયા હતા. હાલમાં એસડીઆરએફ અને જિલ્લા વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્યમાં લાગેલી છે.SS1MS