ઉ.પ્રદેશમાં ૧૨ વર્ષીય દલિત બાળકીની ગેંગરેપ બાદ હત્યા
લખનૌ, ઉત્તર પ્રદેશના મહરાજગંજ જિલ્લા ખાતે ૧૨ વર્ષીય દલિત બાળકી સાથે ગેંગરેપ બાદ હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બૃજમનગંજ થાણાક્ષેત્રના રેહરવા અંડર બાયપાસ પાસેથી બાળકીનો નગ્નાવસ્થામાં મૃતદેહ મળી આવ્યો ત્યાર બાદ શરૂઆતમાં પોલીસે તેને જાનવરોનો હુમલો ગણાવ્યો હતો પરંતુ હવે ખૂબ જ ચોંકાવનારો ખુલાસો થયો છે.
આરોપીઓ બાળકીને તેના ડેરાએથી પકડીને રેલવે લાઈન તરફ લાવ્યા હતા. ત્યાં તેના સાથે સામૂહિક દુષ્કર્મ બાદ ર્નિદયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. ઘટનાનું સ્વરૂપ બદલવા માટે બાળકીના પેટની નીચેના હિસ્સાને ચપ્પા વડે કાપીને કાઢી નાખ્યો હતો અને માટીમાં દફનાવી દીધો હતો.
પોલીસે શરૂઆતમાં આ મામલે પડદો ઢાંકવા પ્રયત્ન કર્યો હતો પરંતુ કેસ દાખલ થયા બાદ એસઓને હટાવી દેવાયા હતા અને એસપીએ ઘટના સ્થળે પહોંચીને તપાસ આરંભી હતી. ત્યાર બાદ નવા થાણાદારે પણ હત્યા કેસને અન્ય દિશામાં વાળવા પ્રયત્ન કર્યો હતો. પ્રેસ નોટમાંથી પણ ઘટનાનું વિવરણ હટાવી લેવાયું હતું.
આ કેસમાં ત્રણેય આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. ત્યારે પોસ્ટમોર્ટમ બાદ બાળકીના પિતાએ પોલીસ પર નવો આરોપ લગાવ્યો છે. પીડિતાના પિતાએ પોલીસ પર મૃતદેહના અંતિમ સંસ્કાર ન કરવા દેવાનો આરોપ લગાવ્યો છે. તેમણે શબને રોહિન નદીમાં ત્રિમુહાની ઘાટ પરથી જળ પ્રવાહ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. પીડિત પરિવાર ભીખ માગીને જીવન નિર્વાહ કરે છે.SSS