કચરામાંથી જ ઈન્દોર વર્ષે 20 કરોડ રૂપિયાની કમાણી કરે છે
ઈન્દોર, ઈન્દોરને સતત પાંચમી વખત દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઈન્દોરને નંબર 1 સિટી અવૉર્ડ, 12 કરોડનો સફાઈમિત્ર અને 5 સ્ટાર રેટિંગ આપ્યું છે. 35 લાખ વસતિ ધરાવનાર ઇન્દોર 139 લાખ ભારતીયો માટે કેવી રીતે સફાઈમાં રોલ મોડલ બન્યું ? ચાલો, જાણીએ…
સૌથી મોટું કારણ ઈન્દોરે 21.3 કિલોમીટર કાન્હ અને 12.4 કિલોમીટર લાંબી સરસ્વતી નદીને પુનર્જીવિત કરી છે. 6 મુખ્ય નાળાં સહિત 137.28 કિમીમાં વહેતા સીવરેજને પ્રોસેસ કરવામાં આવી. હવે નદીઓ અને નાળાંમાં કચરો વહેતો નથી, જેને પરિણામે શુક્રવારે 41 વર્ષ બાદ કાર્તિક પૂર્ણિમાના દિવસે સરસ્વતીના કિનારે લોકો દીપદાન કરતા જોવા મળ્યા હતા.
પ્રથમ વખત વાહનોની ખરીદી અને ટ્રાન્સફર સ્ટેશનના નિર્માણ માટે વેસ્ટ મેનેજમેન્ટ પાછળ 160 કરોડ ખર્ચવા પડ્યા હતા. હવે આ ખર્ચ ઘટીને વાર્ષિક 50 કરોડ થઈ ગયો છે. ગયા વર્ષે 90% વેસ્ટ મેનેજમેન્ટ ફી વસૂલવામાં આવી હતી, જે 45 કરોડ હતી. ભીના કચરાની ગુણવત્તા 95% છે, જર્મનીમાં પણ આવું નથી.
ઈન્દોર હાલમાં કચરામાંથી વાર્ષિક રૂ. 20 કરોડની કમાણી કરે છે. એમાં કાર્બન ક્રેડિટ, CNG, કમ્પોસ્ટ ખાતર, CND વેસ્ટ અને સૂકા કચરામાંથી આવકનો સમાવેશ થાય છે. નિષ્ણાતોનું માનવું છે કે ઈન્દોર જે ઝડપે વેસ્ટ મેનેજમેન્ટ પર કામ કરી રહ્યું છે, આગામી ત્રણ વર્ષમાં કચરામાંથી આપણી કમાણી 100 કરોડને પાર કરી જશે.