કપિલના શો પર પહોંચેલી સ્મૃતી ઈરાનીને ગાર્ડે અંદર જવા ન દીધી
નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ટીવી પરના લોકપ્રીય શો કપિલ શર્માના કોમેડી શોમાં નજરે પડવાના હતા પણ હવે આવુ શક્ય નહીં બને. મળતા અહેવાલો પ્રમાણે સ્મૃતિ ઈરાની પોતાના નવા પુસ્તક લાલ કિતાબનુ પ્રમોશન કપિલ શર્માના શોમાં કરવાના હતા પણ તેઓ જ્યારે શૂટિંગ માટે પહોંચ્યા ત્યારે સિક્યુરિટી ગાર્ડ તેમને ઓળખી શક્યો નહોતો અને સ્મૃતિ ઈરાનીને અંદર જવા દીધા નહોતા.આખરે કેન્દ્રીય મંત્રી પાછા ફરી ગયા હતા.
સ્મૃતિએ સિક્યુરિટીને કહ્યુ હતુ કે, હું એક એપિસોડના શૂટિંગ માટે આવી છું અને આ શોમાં હું ગેસ્ટ છું ત્યારે ગાર્ડે કહ્યુ હતુ કે, અમને કોઈ સૂચના મળી નથી અને સોરી તમે અંદર નહીં જઈ શકો.
જાેકે કેટલાકનુ કહેવુ છે કે, આ ગેરસમજ સ્મૃતિ ઈરાનીના ડ્રાઈવર અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે થઈ હતી.આ વાતની જાણ સ્મૃતિ ઈરાનીને અને કપિલ શર્માને પણ નહોતી.જ્યારે કપિલ અને તેની ટીમને આ વાતની ખબર પડી ત્યારે સેટ પર હોહા થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે સાસ ભી કભી બહુ …સિરિયલથી લોકપ્રિય થયા બાદ સ્મૃતિ ઈરાનીએ રાજકારણમાં એન્ટ્રી કરી હતી અને મોદી સરકારની કેબિનેટમાં તે કેન્દ્રીય મંત્રી છે.હાલમાં તેમણે ખાસુ વજન ઘટાડ્યુ છે અને તેમના નવા અવતારની તસવીરો પણ વાયરલ થઈ છે.SSS