કાનપુર પર ઝીકા વાયરસનો મહાભરડો, નવા ૧૬ કેસ
કાનપુર, ઉત્તરપ્રદેશના કાનપુરમાં હવે દિવસેને દિવસે ઝીંકા વાયરસનો આંતક વધતો જતો જાેવા મળી રહ્યો છે. અહીયા વધું ૧૬ નવા કેસ નોંધાયા છે. જેના કારણે લોકોમાં હવે ભયનો માહોલ ફેલાયેલો છે. અત્યાર સુધીમાં અહિયા કુલ ૧૦૯ કેસ નોંધાઈ ચુક્યા છે. જેના કારણે હવે તંત્ર પણ દોડતું થઈ ગયું છે.એકલા કાનપુરમાં જ ૧૦૮ કેસ જાેવા મળ્યા છે. ૧૭ કેસમાં રિકવરી જાેવા મળી છે અને ૯૧ એક્ટિવ કેસ જાેવા મળ્યા છે.
સંક્રમણને રોકવા માટે પ્રભાવિત વિસ્તારોમાં અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. ડૉક્ટરોનું કહેવું છે કે તેઓ ઘરેઘર સર્વે કરી રહ્યા છે. ગંભીર લક્ષણો વાળા દર્દીના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે. સાથેજ ગર્ભવતી મહિલાઓના પણ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત રેડિયોલોજી સેન્ટરોને પણ સતર્ક કરવામાં આવી રહ્યા છે.
ઝીકા વાયરસને લઇને સીએમ મુખ્યમંત્રી આદિત્યનાથે કરી સમીક્ષા બેઠક અને કહ્યું કે સ્થિતિ હાલ કાબુમાં છે. અને આરોગ્ય ટીમ કામે લાગી છે,સમગ્ર આરોગ્ય તંત્ર ઝીંકા વાયરસને લઇને હરકતમાં આવી ગયું છે.ઉલ્લેખનીય છે કે ઝીકા વાયરસ ડેન્ગ્યૂંથી ફેલાતા મચ્છરોને કારણે ફેલાય છે.HS