કાલોલમાં જૂથ અથડામણ થતા હિંસક બનેલા તોફાની ટોળાએ પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો

પંચમહાલ, પંચમહાલ જીલ્લાના કાલોલમા બે જુથો વચ્ચે કોઇ મામલે અથડામણ સર્જાતા સમગ્ર કાલોલ નગરમાં અફરાતરફીનો માહોલ ફેલાઈ ગયો છે.જેમા તોફાની ટોળુ હિંસક બનતા પોલીસની ટીમ પર પથ્થરમારો કર્યો હતો,અથડામણની ઘટના બની હોવાના ખબર કાલોલમાં વાયુવેગે પ્રસરતા દુકાનો ટપોટપ બંધ થઈ ગયી હતી.
કાલોલમાં પરિસ્થીતી તંગ બનતા જીલ્લા એસ.પી અને રેન્જ આઇજી સહિતના અધિકારીઓ તેમજ પોલીસ કાફલો પહોચતા કાલોલનગર પોલીસ છાવણીમા ફેરવાયુ હતુ.આ પથ્થરમારામાં પીઆઈ અને પીએસઆઇ સહિતના પોલીસ અધિકારીઓ અને કેટલાક જવાનોને ઇજા પહોચી છે.પોલીસે તોફાની બનેલા ટોળાને કાબુમા લેવા ટીયરગેસના સેલ છોડવામા આવ્યા હતા.હૂમલાખોરોને ઝડપી પાડવા પોલીસે કોમ્બિંગ હાથ ધર્યુ છે.
પંચમહાલ જીલ્લાના કાલોલનગરમા બે જુથ વચ્ચે કોઈ બાબતને લઇને મામલો ઉગ્ર બનતા અથડામણની ઘટના બની હતી,જાેતજાેતામા વાતાવરણ ઉગ્ર બનતા ટોળાએ પોલીસ પર પથ્થરમારો શરૂ થયો હતો,નગરમાં તંગદીલી સર્જાતા કાલોલનગરમા ટપોટપ દૂકાનો બંધ થઈ ગઈ હતી.
પોલીસ પર જૂથ અથડામણમાં પથ્થરમારાની ઘટનાની જાણ થતા જીલ્લા એસપી ડો.લીના પાટીલ સહિતનો કાફલો કાલોલનગરમા પહોચ્યો હતો.સાથે જીલ્લાભરની પોલીસ તેમજ એલસીબી, એસઓજી સહિતની ટીમ પણ કાલોલનગરમા પહોચી હતી,પોલીસે તોફાની ટોળાને કાબૂમા લેવા ટીયરગેસના સેલ છોડ્યા હતા.
ટોળાઓએ દૂકાનોમાં તેમજ વાહનોમાં તોડફોડ કરી હતી.એટલુ જ નહી રસ્તે જતા આવતા વાહનોને તોફાની ટોળાએ પણ પથ્થરોમારીને ને ટાર્ગેટ બનાવ્યા હતા.
ટોળાને કાબુમા લેવા ટીયરગેસના સેલ છોડવામા આવ્યા હતા.બનાવની ગંભીરતા જાેતા પંચમહાલ રેન્જના આઈજી એમ.એસ.ભરાડા કાલોલ ખાતે પહોચીને પરિસ્થીતીનો તાગ મેળવ્યો હતો.પોલીસે પથ્થરમારો કરનારા કેટલાક ઇસમોને ઝડપી લીધા હતા.
હુમલાખોરો હાથમા લાકડીઓ લઇને ફરતા નજરે પડતા હતા.આ અથડામણમા એલ.સી.બી પી.આઈ ડી.એન.ચૂડાસમા તેમજ કાલોલ પોલીસ મથકના પી.એસ.આઈ મહોબતસિંહ માલવિયા અન્ય પોલીસ કર્મીઓને ઇજા પહોચી છે. કસ્બા વિસ્તારમાં કોમ્બિગ હાથ ધર્યુ છે.