કાશ્મીરમાં સિક્યોરિટી કેમ્પ, પોસ્ટ ઉપર હુમલાનું દબાણ

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં ટારગેટ કીલિંગ બાદ હવે ટારગેટ સિક્યોરિટી કેમ્પનુ ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે. ભારતીય સુરક્ષા એજન્સીઓને હાલમાં મળેલી જાણકારી અનુસાર પાકિસ્તાનની ખાનગી એજન્સી આઈએસઆઈએ આતંકી સંગઠન પર દબાણ બનાવ્યુ છે કે કાશ્મીરમાં સિક્યોરિટી કેમ્પ અને પોસ્ટ પર હુમલા કરે.
સુરક્ષા એજન્સીઓએ તહેવારને ધ્યાનમાં રાખતા તમામ સુરક્ષા પ્રતિષ્ઠાનોની સુરક્ષા વધારવાનુ એલર્ટ જારી કરવામાં આવ્યુ. જે બાદ આ સ્થાન પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવાઈ છે. એટલુ જ નહીં આ ઠેકાણાની બહાર મોબાઈલ બંકર સહિત બુલેટ પ્રૂફ વાહન તૈનાત કરવામાં આવ્યા છે.
સુરક્ષા એજન્સીઓને ઈનપુટ મળ્યા છે કે પાકિસ્તાની ખાનગી એજન્સીએ આતંકવાદી સંગઠનો પર એ દબાણ બનાવ્યુ છે કે તેઓ ઘૂસણખોરી બાદ પોતાના ટારગેટમાં બદલાવ કરે. અત્યાર સુધી નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા હવે સિક્યોરિટી કેમ્પ અને પોસ્ટ પર પણ હુમલા કરવામાં આવ્યા.
જાેકે, બાંદીપોરા, બાકામુલા અને કુપવાડા જિલ્લાની એલઓસી પર બરફ પડવાનુ શરૂ થઈ ગયુ છે. એવામાં બરફ પડ્યા પહેલા મોટા સ્તરે આતંકીઓની ઘૂસણખોરી કરાવીને મોકલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
મોટી સંખ્યામાં આતંકી સરહદે ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહ્યા છે. કાશ્મીરમાં એક મહિના સુધી પહાડો પર ઘણો બરફ પડશે. એવામાં આતંકીઓના પ્રયત્ન રહેશે કે અગાઉ અવસરે ફાયદો ઉઠાવીને ભારતની સરહદમાં પ્રવેશ કરી શકે. કેમ કે ડિસેમ્બરથી માર્ચ સુધી આતંકી હિમવર્ષાના કારણે ઘૂસણખોરી કરી શકતા નથી.
ખાનગી એજન્સીઓ અનુસાર નવેમ્બરના સમગ્ર મહિનામાં સુરક્ષા કેમ્પ અને પોસ્ટની કડક સિક્યોરિટી રાખવી પડશે. કાશ્મીરમાં આતંકી સંગઠન હાઈબ્રિડ આતંકીઓની મદદથી સિક્યોરિટી કેમ્પ, પોલીસ પોસ્ટ, અન્ય સેનાની પોસ્ટ વગેરે પર હુમલા કરાવવાનુ ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે.
આતંકી આ કેમ્પ પર ફિદાયીન, ગ્રેનેડ હુમલો કરી શકે છે. પીઓકેમાં હાજર લશ્કર એ તોયબા, જૈશ-એ-મોહમ્મદ અને આરટીએફ સંગઠનના હેંડલરથી આઈએસઆઈએ હુમલો કરવા માટે કહ્યુ છે. હાજર સમયમાં કાશ્મીરમાં આતંકી સંગઠન હિજબુલ મુઝાહિદ્દીનની જગ્યાએ આરટીએફ સક્રિય છે. જેમાં કેટલાક હાઈબ્રિડ આતંકી સામેલ છે.
હાઈબ્રિડ આતંકી સ્થાનિક લોકોને જ ટ્રેન્ડ કરી બનાવવામાં આવે છે તો પોતાના કામને અંજામ આપ્યા બાદ સામાન્ય જીવન જીવવા લાગે છે. આ અન્ય આતંકીઓ કરતા વધારે ખતરનાક હોય છે, કેમ કે આની ઓળખ કરવી મુશ્કેલ હોય છે.SSS