કિસાન નેતા રાકેશ ટિકૈતને અજાણ્યા નંબરથી હત્યાની ધમકી મળી

મુઝફ્ફરનગર, ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાના અહેવાલ છે. પોલીસે સોમવારે આ જાણકારી આપી. હાલ આરોપીની ઓળખ થઈ શકી નથી. અહીં પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. અહેવાલ છે કે, તપાસ દરમિયાન પોલીસે ટિકૈત સાથે પણ ચર્ચા કરી છે.
ટિકૈતને કથિત રીતે હત્યાની ધમકી આપવામાં આવી હતી અને અજાણ્યા કોલર દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. મુઝફ્ફરનગરના એસએસપી અભિષેક યાદવે આ મામલે તપાસ શરૂ કરી છે. બીકેયુ નેતાના ડ્રાઈવર પરજ્વાલ ત્યાગીએ સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર રાકેશ શર્માના નેતૃત્વમાં પોલીસ ટીમ પણ ટિકૈતના ઘરે પહોંચી અને વાત કરી.
દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે કલમ ૫૦૪ અને ૫૦૬ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. મુઝફ્ફરનગર ડીએસપી કુલદીપ સિંહે પણ કહ્યું કે, આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.અને પગલા ભરવામાં આવશે.
ટિકૈતે કહ્યું કે, અગાઉ પણ આવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ પ્રકારની ઘટના પહેલીવાર નથી બની. મેં અગાઉ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કોઈએ મને બોલાવી, મારપીટ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી. જાે પોલીસ કોલ કરનારને શોધવામાં નિષ્ફળ જશે તો હું નંબર સાર્વજનિક કરીશ. એ માણસની ધરપકડ થવી જાેઈએ.HS