કૃષિ કાયદા લાવવા અને પાછા લેવાનો ર્નિણય વડાપ્રધાનનો છે: નીતિશ
પટના, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શુક્રવારે(૧૯ નવેમ્બર)ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને પાછા લેવાની આશ્ચર્યજનક ઘોષણા પર ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો છે. જેડીયુ પ્રમુખ નીતિશ કુમારે પહેલા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરનારા ખેડૂતોને વાતચીતમાં શામેલ કરવાની વકીલાત કરી હતી પરંતુ હવે પીએમ મોદીના કૃષિ કાયદા પાછા લેવાના ર્નિણય પર મૌન સાધી લીધુ છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યુ કે કૃષિ કાયદો લાવવો અને પાછો લેવો, આ બંને ર્નિણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના છે. આના પર એ શું બોલે. અહીં કોઈ પ્રતિક્રિયા ન હોઈ શકે. ‘આ ર્નિણય પીએમનો છે, આના પર કોઈ પ્રતિક્રિયા ન હોઈ શકે’ મુખ્યમંત્રી નીતિશ કુમારે રાષ્ટ્રીય રાજધાની દિલ્લીથી પાછા આવવા પર પટના એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ, ‘કેન્દ્ર સરકારે સંસદમાં કૃષિ કાયદાને મંજૂરી આપી.
આ પીએમ(નરેન્દ્ર મોદી)નો ર્નિણય હતો. હવે તેમણે ખુદ ઘોષણા કરી છે કે તેને સંસદના આવતા સત્રમાં પાછા લઈ લેવામાં આવશે, પીએમે આને બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યુ. ર્નિણય તેમનો છે, આના પર કોઈ પ્રતિક્રિયા ન હોઈ શકે.SSS