કોઈ પર વિશ્વાસ કરતો નથી યુએસ રાષ્ટ્રપતિની સ્પષ્ટ વાત

U.S. President Joe Biden delivers remarks on the April jobs report from the East Room of the White House in Washington, U.S., May 7, 2021. REUTERS/Jonathan Ernst
કાબુલ, અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની વાપસી બાદ હવે ત્યાં તાલિબાનનું રાજ છે. તાલિબાનીઓ ટૂંક સમયમાં જ નવી સરકારની રચના કરશે. આ બધા વચ્ચે અમેરિકાના ર્નિણયને લઈ સૌ કોઈ તેની ટીકા કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ જાે બાઈડન પણ સૌ કોઈના નિશાન પર છે. તેવામાં રાષ્ટ્રપતિ જાે બાઈડનને તાલિબાન અંગે સવાલ કરવામાં આવ્યો હતો. પત્રકારે તેમને સવાલ કર્યો હતો કે, શું તમને તાલિબાન પર વિશ્વાસ છે. તેના જવાબમાં બાઈડને કહ્યું કે, તેઓ કોઈના પર વિશ્વાસ નથી કરતા. વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાે બાઈડને જણાવ્યું કે, તેઓ કોઈના પર પણ વિશ્વાસ નથી કરતા, તમારા પર પણ નહીં. હું તમને પ્રેમ કરૂ છું, પરંતુ એવા અનેક લોકો છે જેમના પર હું વિશ્વાસ નથી કરતો.
તાલિબાને પહેલા લોકોમાં વિશ્વાસ જગાવવો પડશે. લોકોને સુવિધાઓ આપવી પડશે. તાલિબાને ઘણું કહ્યું છે- અમે જાેઈએ છીએ કે તે પોતાની વાતો પર સાચું સાબિત થાય છે કે નહીં. ઉલ્લેખનીય છે કે, જાે બાઈડન દ્વારા અમેરિકી સેનાને હટાવવાને લઈ ખૂબ ટીકાઓ થઈ રહી છે. જાેકે બાઈડને પોતાના ર્નિણયને એકદમ યોગ્ય અને લોજિકલ ગણાવ્યો છે. તેમના કહેવા પ્રમાણે જાે તેઓ અત્યાર બહાર નહીં નીકળે તો ક્યારે નીકળશે. ઈતિહાસમાં આ ર્નિણય એકદમ સાચો અને લોજિકલ માનવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, માત્ર અફઘાનિસ્તાન જ નહીં, અમેરિકા સહિત વિશ્વના અન્ય દેશોમાં પણ બાઈડન પ્રશાસનના ર્નિણયની ટીકા થઈ રહી છે. દરેક વ્યક્તિ આ રીતે અફઘાનિસ્તાનને એકલું છોડી દેવાની ટીકા કરી રહ્યું છે. તાલિબાની રાજના આગમન બાદ હજારો અફઘાની લોકો પલાયન કરી રહ્યા છે. તાલિબાન લોકોને રોકાઈ જવા વિનંતી કરી રહ્યું છે પરંતુ દરેક વ્યક્તિ બહાર ભાગવા ઈચ્છે છે.SSS