Western Times News

Gujarati News

કોઈ વેરિએન્ટ સામે નથી આવ્યો જે રસીની અસરને ઓછી કરી શકે : WHO

Files Photo

નવીદિલ્હી: કોરોના વાયરસના સંક્રમણની વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યુ તે અત્યાર સુધી એવો કોઈ વેરિએન્ટ સામે નથી આવ્યો જે રસીની અસરને ઓછી કરી શકે. ડબ્લ્યુએચઓના મહાનિર્દેશક ટેડ્રોસ અદનોમ ઘેબ્રિયેયસે હાલમાં કહ્યુ કે એ વાતની કોઈ ગેરન્ટી નથી કે ભવિષ્યમાં આવુ જ થાય. પ્રમુખ ટેડ્રોસે ગુરુવારે ૭૪ મી વિશ્વ સ્વાસ્થ્ય સભામાં પોતાના પ્રારંભિક ટિપ્પણીમાં કહ્યુ કે કોઈ પણ રુપ સામે નથી આવ્યુ કે જે રસી, નિદાન અથવા મેડિકલ સાયન્સની અસરકારકતાને મહત્વપૂર્ણ રીતે ઓછુ કરે છે. પરંતુ એ વાતની કોઈ ગેરન્ટી નથી કે આવુ જ રહેશે. વાયરસ સતત બદલાઈ રહ્યો છે.

ડબ્લ્યુએચઓના મહાનિર્દેશકે કહ્યુકે આ વિચારોથી લોકોમાં રસીકરણથી હતોત્સાહિત ન થવું જાેઈએ અને તમામ દેશોમા રસીકરણની સ્પીડ વધારવાનું આહ્વાન કરવુ જાેઈએ. તેમણે સભ્ય દેશોને સપ્ટેમ્બર સુધીમાં દરેક દેશમાં ઓછામાં ઓછા ૧૦ ટકા વસ્તીનું રસીકરણ કરવા માટે સપ્ટેમ્બર સુધી સ્પ્રિન્ટનું સમર્થન કરવા અને ઓછામાં ઓછા ૩૦ ટકા રસીકરણનુ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ડિસેમ્બર સુધી અભ્યાનનો સમર્થન કરવા આગ્રહ કર્યો છે.

વિકસિત અને વિકાસશીલ દેશોની વચ્ચે રસી વિતરણના અંતર પર ડબ્લ્યુએચઓના પ્રમુખે આને એક નિંદનીય અસમાનતા જે મહામારીને સમાપ્ત કરી રહી હોવાનું ગણાવ્યુ. તેમણે કહ્યુ કે તમામ સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ અને કોરોના સંક્રમણના ઉચ્ચ જાેખમો વાળા લોકોનો ખોરાક પ્રાપ્ત થશે. આ અંગે પ્રકાશ પાડતા કે પર્યાપ્ત રસી નથી ડબ્લ્યુએચઓના પ્રમુખે સંપન્ન દેશોના બાળકોના રસીકરણને રોકવા અને તે લોકોને રસીના ડોઝનું દાન કરવા માટે આહ્વાન કર્યુ છે. જેમને વાસ્તવમાં તેની જરુર છે.

તેમણે કહ્યુ કે દુનિયાના મોટાભાગના રસી બનાવવા અને ખરીદનારા દેશોના એક મોટા ગ્રુપને બાકી દુનિયાના ભાગ્યને નિયંત્રિત કરે છે. બાળકો અને અન્ય ઓછા જાેખમ વાળા ગ્રુપોમાં રસીકરણ કરનારા દેશો બહે અન્ય દેશોમાં સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ અને ઉચ્ચ જાેખમો વાળા ગ્રુપોની કિંમત પર એવુ કરે છે. આ હકિકત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.