કોરોના મટી ગયા પછી, દુઃખાવો દૂર ન થતા MRI કરાવ્યું અને ભેદ ખુલ્યો
કોરોનાના દર્દીઓને કમરમાં ફંગસથી થતી તકલીફના કેસ
નવીદિલ્હી, હવે મ્યુકોરમાઈકોસીસ એટલે કે બ્લેક ફંગસ બાદ હવે વધુ એક ફંગસનું ઈન્ફેકશન કોરોનાને હરાવનારા લોકોમાં જાેવા મળી રહયું છે. જેમાં પાછલા ત્રણ મહિનામાં કોરોના મુકત થયેલા પુનાના ચાર દર્દીઓમાં નવા ફંગસનું ઈન્ફેકશન લાગ્યું છે.
૬૬ વર્ષના ત્રણ મહિના પહેલા કોરોનાને હરાવનારા પ્રભાકર નામના દર્દીને સામાન્ય તાવ અને કમરમાં સતત દુખાવો રહેતો હતો. તેમણે આ દુખાવાથી રાહત મેળવવા માટે શરૂઆતમાં સામાન્ય દવાઓ લીધી હતી. જાેકે, તેમણે જયારે એમઆરઆઈ દ્વારા તપાસ કરાવી ત્યારે ખ્યાલ આવ્યો કે ઈન્ફેકશનના કારણે સ્પાઈનલ-ડિસ્કનું હાડકાને નુકશાન થયું હતું
જેને સ્પોન્ડિલોસઈટીસ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ઈન્ફેકશન થયેલી જગ્યાના હાડકાની બાયોપ્સસ અને કલ્ચર મેડીકલ ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે તેમાં ફંગસના કારણે નુકશાન થયું છે. આ પ્રકારની તકલીફમાં સર્જરી કરવી મુશ્કેલ માનવામાં આવે છે, જેમાં આ ફંગસ કરોડરરજુમાં ક્ષય રોગની નકલ કરે છે. આ પ્રકારની તકલીફ કોરોનાને હરાવી ચુકેલા દર્દીઓમાં જાેવા મળી છે,
જયારે ભાગ્યે જ આ તકલીફ ફેફસામાં જાેવા મળે છે. દીનાનાથ મંગેશકર હોસ્પીટલના ઈન્ફેકશનના રોગના નિષ્ણાંત પરક્ષીત પ્રયાગે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડીયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, અમે આ પ્રકારની બીમારી ત્રણ મહીનામાં એવા ચાર દર્દીઓમાં જાેઈ કે જેઓ કોરોનાથી સાજા થયા છે.
આ પેહલા કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં આ પ્રકારની બીમારી જાેવા મળી નહોતી. આ ચાર દર્દીઓમાંસામાન્ય બાબત એ હતી કે તેમને કોરોનાની ખરાબ અસર થઈ હતી અને તેમને સારવાર દરમ્યાન સ્ટીરોઈડના ડોઝ આપવામાં આવ્યા હતા. સામાન્ય રીતે એવું જાેવા મળ્યું છે
કે જે કોરોનાના દર્દીઓને સારવાર દરમ્યાન સ્ટોરીરાઈડ આપવામાં આવયું હતંું કે તેને કોરોના મટયા પછી એકસપર્ટ પરીક્ષીત પ્રયાગે જણાવ્યું કે, પુનામાં ત્રણ મહીનામાં દેખાયેલા કમરની તકલીફવાળા દર્દીઓની સારવાર હાલ ચાલી રહી છે. હવે આ દર્દીઓની સારવાર દરમ્યાન કેટલીક નવી બાબતોને જાણવાની પણ એકસપર્ટ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહયા છે.