કોરોના સંકટ વચ્ચે ભારતનો જીડીપી ગ્રોથ ૮.૩ ટકા પર યથાવત
નવીદિલ્હી, ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેરની દસ્તક વચ્ચે, વર્લ્ડ બેંકે નાણાકીય વર્ષ ૨૦૨૨ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૮.૩ ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. તે જ સમયે, વર્લ્ડ બેંકે વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં ઘટાડો થવાનું અનુમાન લગાવ્યું છે. વર્લ્ડ બેંક અનુસાર, ૨૦૨૧માં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ ૫.૫% હતી, જે ૨૦૨૨માં ઘટીને ૪.૧ ટકા અને ૨૦૨૩માં ૩.૨ ટકા થઈ જશે.
વર્લ્ડ બેંકના વોશિંગ્ટન સ્થિત હેડક્વાર્ટરે મંગળવારે ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટસ રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે કોરોના મહામારીના કારણે વૈશ્વિક સ્તરે અર્થવ્યવસ્થામાં ઘટાડો થશે, જ્યારે ભારતનો GDP વૃદ્ધિ દર ઘટશે.
૮.૩ ટકા છે. ચાલુ રહેશે ભારતનો વાર્ષિક વિકાસ ચાલુ નાણાકીય વર્ષમાં ૮.૩%, ૨૦૨૨-૨૩માં ૮.૭% અને ૨૦૨૩-૨૪માં ૬.૮ રહેવાનો અંદાજ છે.વર્લ્ડ બેંકે ભારત સિવાય અમેરિકા, યુરોપિયન યુનિયન, ચીન અને જાપાન સહિત વિશ્વની લગભગ તમામ મોટી અર્થવ્યવસ્થાઓ માટે અંદાજાે જાહેર કર્યા છે. આ રિપોર્ટમાં વર્લ્ડ બેંકે ચીનની અર્થવ્યવસ્થા સુસ્ત પડવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.HS