Western Times News

Gujarati News

ખેડબ્રહ્મા કોલેજમાં પ્રતિભા સન્માન અને વિદાય યોજાઇ

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ડી.ડી.ઠાકર આર્ટસ અને કે.જે. પટેલ કોમર્સ કોલેજમાં રર-૪-ર૦રરના રોજ શ્રી જે.કે. પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી, શ્રી અરવલી વિધાભવન ટ્રસ્ટના અધ્યક્ષસ્થાને પારિતોષિક- વિતરણ, વાર્ષિકોત્સવ અને વિદાય- સમારંભ કાર્યક્રમ યોજાઈ ગયો.

સંસ્થાના કા. આચાર્ય શ્રી ડો. ડી.વી. સી. નિનામાએ કાર્યક્રમની ભૂમિકા સ્પષ્ટ કરી, નિમંત્રિતોને શાબ્દિક-પરિચય સાથે આવકાર્યા હતા. એ પછી તેમનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ ડો. ડી.કે. પટેલે શૈક્ષણિક વર્ષ ર૦ર૦-ર૧ અને ર૦ર૧-રરના વાર્ષિક અહેવાલનું વાંચન કર્યું હતું. એ પછી વિદાય લેતાં વિદ્યાર્થીઓએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.

એ પછી વર્ષ ર૦ર૦-ર૧ અને ર૦ર૧-રરની યુનિ. પરીક્ષામાં સંસ્થામાં પ્રથમ ત્રણ ક્રમાંકે સર્વોચ્ચ ગુણ મેળવનાર વિદ્યાર્થીને તથા સંસ્થામાં યોજાયેલ વિવિધ સ્પર્ધા, કાર્યક્રમ એન.એસ.એસ. એન.સી.સી. ૪ રમતગમત આદિ ક્ષેત્રે ઉત્તમ દેખાવ કરનાર પ્રથમ ત્રણ-ત્રણ વિદ્યાર્થીને શિલ્ડ, પુસ્તક પ્રમાણપત્ર આદિથી સન્માનવામાં આવ્યા હતા.

ઉપરાંત પીે.એચ.ડી. પદવી મેળવી હોય અને પુસ્તક પ્રગટ થયું હોય તેવા પ્રાધ્યાપકોને તેમજ વિદ્યાર્થીઓને પણ સન્માનવામાં આવ્યા હતા. બે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે સન્માનવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાન શ્રી વિનોદભાઈ પટેલે પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું.

ત્યારબાદ અતિથિવિશેષ ડો. દીપકભાઈ રાવલે સંસ્થાના ગૌરવ સમાન ઐતિહાસિક ક્ષણો ગૌરવપૂર્વક યાદ કરી, જ્ઞાનપ્રાપ્તિનું મહત્વ સ્પષ્ટ કરી, વિદ્યાર્થીઓને સંકુચિતતા ટાળી, સમાજમાં પોતાની ઓળખ સ્થાપવા પર ભાર મુકતું વકતવ્ય આપ્યંુ હતું. શ્રી એન.ડી. પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી

એ પછી ડી.એચ.એચ. ચૌહાણે પાથેયનું વાંચન તથા વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં અરવલ્લી વિધાભવન ટ્રસ્ટના વિવિધ હોદ્દેદારો, કારોબારી સભ્યો તથા અનેક વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા. અંતે ડો. એમ.બી. પરમારે આભારવિધિ કરી હતી. કાર્યક્રમનું આયોજન ડો. કે.ડી. પટેલ, ડો. કે.યુ. સુથાર, શ્રી સુરેશભાઈ ચૌહાણે કર્યું હતું તથા સંચાલન ડો. આર.જે. દેસાઈએ સંભાળ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.