ખેડૂતોને કચડવાની ઘટના પૂર્વયોજિત હોવાનું એસઆઈટીનું તારણ
નવી દિલ્હી, ખેડૂત આંદોલન વખતે યુપીના લખીમપુર ખીરીમાં ખેડૂતો પર જીપ ચઢાવી દેવાના મામલામાં હવે નવો વળાંક આવ્યો છે. મામલાની તપાસ માટે બનાવાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે માન્યુ છે કે, ખેડૂતોને જીપ નીચે કચડવાની ઘટના પૂર્વયોજિત કાવતરુ હતી.જેના પગલે હવે આ મામલાના આરોપી પર લગાવાયેલી કલમોમાં પણ બદલાવ કરાયો છે.
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા સહિતના ૧૪ આરોપીઓ પર હવે બિન ઈરાદા પૂર્વક હત્યા કરવાનો કેસ ચાલશે. ત્રણ ઓક્ટોબરે સર્જાયેલા આ હત્યાકાંડની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે મુખ્ય ન્યાયાધીશ સમક્ષ રજૂ કરેલી અરજીમાં આરોપીઓ સામે નવી કલમો સામેલ કરવા માટે અનુરોધ કર્યો હતો.હવે આરોપીઓ પર જાણી જાેઈને પ્લાનિંગ કરીને આ ગુનો કરવા માટેની કલમોનો ઉમેરો કરાયો છે.
તપાસ અધિકારીનુ કહેવુ છે કે, ખેડૂતોની જીપ નીચે કચડવાની ઘટના પૂર્વ યોજિત હતી અને આ કોઈ બેદરકારીનો મામલો નહોતો.હવે આરોપીઓ સામે હત્યાના પ્રયાસની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ ઓક્ટોબરે આ ઘટના બની હતી.જેમાં ખેડૂતો પર જીપ ચઢાવી દેવામાં આવી હતી.આ હિંસામાં ખેડૂતો તેમજ સ્થાનિક પત્રકારનુ પણ મોત થયુ હતુ.SSS