ગંગાસ્વરૂપ બહેનોના પગ પખાળતા ગુજરાતના મુખ્યમંત્રી
ઘણા લોકોની કથની અને કરણીમાં હંમેશા ફરક હોય છે. પણ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે કહેવું એ જ કરવું અને જે મનમાં હોય તે કદિયે ન છૂપાવવાના સિદ્ધાંતમાં માને છે, તેથી જ કદાચ અન્ય રાજકારણીઓ પૈકી અલગ તરી આવે છે.
હિંમતનગર ખાતે યોજાયેલા ‘નાર્યસ્તુ વંદના કાર્યક્રમ’માં મુખ્યમંત્રીશ્રીએ વિવિધ ગંગાસ્વરૂપ બહેનોના પગ અત્યંત વિનમ્રતાથી પખાળીને “નારી તું નારાયણી”ની નેમ ચરિતાર્થ કરી હતી અને સીએમ એટલે કોમનમેનની વિભાવના મૂર્તિમંત કરી હતી.