Western Times News

Gujarati News

ગળતેશ્વરના અંબાવની પાસે દુર્ઘટનામાં પાંચના મોત થયા

અમદાવાદ : ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ નજીક આજે બપોરે એક લક્ઝરી બસ અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને એકસાથે પાંચ લોકોના મોતને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. ઘટનાની જાણ થતાં સેવાલિયા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને બનાવને લઇ તપાસ હાથ ધરી હતી.

પોલીસે તમામ મૃતકોના મૃતદેહને પીએમ માટે મોકલી આપવાની તજવીજ પણ હાથ ધરી હતી. અકસ્માત એટલો ભયંકર અને ગમખ્વાર હતો કે, લકઝરી બસની ટક્કરમાં કારનો જબરદસ્ત રીતે કચ્ચરઘાણ વળી ગયો હતો અને આખી કારનો ભુક્કો જ બોલી ગયો હતો. જેના કારણે કારમાં બેઠેલા ચાલક સહિતના અન્ય લોકો મળી પાંચના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયા હતા.

બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા અને કારની ભુક્કો બોલેલી હાલત અને પાંચ મૃતદેહો જાઇ સૌકોઇમાં અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. ગળતેશ્વર તાલુકાના અંબાવ નજીક ડાકોર-સેવાલિયા રોડ પર આજે બપોરે પૂરપાટઝડપે જઇ રહેલી લકઝરી બસે આજે એક કારને જારદાર રીતે ટક્કર મારી ગંભીર ગમખ્વાર અક્સ્માત સર્જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

લકઝરી બસની ટક્કર એટલી જારદાર હતી કે, કારનો જારદાર રીતે ભુક્કો બોલી ગયો હતો અને કચ્ચરઘાણ વળી ગયો હતો, ગમખ્વાર એવા આ અકસ્માતમાં પાંચ જણાંના ઘટનાસ્થળે જ મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. અકસ્માતને લઇ હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સેવાલિયા પોલીસે પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી સમગ્ર મામલે જરૂરી તપાસ હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.