ગાઝિયાબાદઃ ઈંદિરાપુરમમાં ગૌશાળા નજીક ઝૂંપડપટ્ટીમાં આગ લાગતાં 100 ગાયોના મોત
ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ ખાતે મોટી આગ હોનારતમાં 49 ગાયોના મોતની ઘટના સામે આવી છે. ઘટનાની વિગતો પ્રમાણે સોમવારે બપોરે ઈંદિરાપુરમના કનાવની ગામ પાસે પુસ્તા રોડ સ્થિત ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ કારણે નજીકની ગૌશાળામાં પણ આગની જ્વાળાઓ ફરી વળી હતી અને 100 ગાયોના મોત થયા છે.
આગ હોનારત અંગેની ખબર ફેલાતાં જ આજુબાજુના વિસ્તારના લોકોમાં હડકંપ મચી ગયો હતો અને અગ્નિશામક વિભાગની ગાડીઓ આગને કાબૂમાં લેવા માટે દોડી આવી હતી. આગ એટલી ભયાનક હતી કે, તેણે સમગ્ર ઝૂંપડપટ્ટી વિસ્તારને આવરી લીધો હતો. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિ સામે નથી આવી પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ નથી જાણઈ શકાયું.
શ્રી કૃષ્ણા સેવા ગૌશાળા ટ્રસ્ટના સંચાલક સૂરજના કહેવા પ્રમાણે દુર્ઘટના સમયે તેમની ગૌશાળામાં 100થી વધારે ગાય હતી. તે પૈકીની આશરે 100 જેટલી ગાય આગમાં સળગી જવાના કારણે મૃત્યુ પામી છે.
આ દુર્ઘટનામાં 30થી વધારે ઝૂંપડાઓ બળીને રાખ થઈ ગયા છે.