Western Times News

Gujarati News

ગુગલનાં ટેકાથી ગ્રામ્ય સ્કૂલોના પ૦ લાખ વિદ્યાર્થીઓ અને શિક્ષકો AI સમર્થ બનશે

AIને સાક્ષરતા સાથે સાંકળી લેવાનું અભિયાન
ગામડામાં જ્યાં સાક્ષરતા અભિયાનને પણ લોકો ટેકો નથી આપતા ત્યાં AI દ્વારા સાક્ષરતાનો પ્રચાર એ મોટો પડકાર

AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ અને પ્રભાવ બંને સતત વધી રહ્યા છે. દરેક ક્ષેત્રમાં તેના ઉપયોગને લઈને નવાં નવાં ઈનોવેશન થઈ રહ્યા છે. ભારતમાં રોજીંદા વપરાશના ઉપકરણોમાં AIનો ઉપયોગ વધી રહ્યો છે. હવે શિક્ષણ ક્ષેત્રે AIની મદદ સાથે સાક્ષરતાના પ્રચાર-પ્રસાર માટેના પ્રયાસો શરૂ થઈ રહ્યા છે. ભારતભરમાં છૈં સાક્ષરતા માટેના પ્રયાસો ગુગલના સહયોગથી શરૂ થઈ રહ્યા છે તે આવકાર્ય વાત છે.

પચાસ લાખ લોકોને AI સાક્ષરતા સાથે સાંકળી લેવાની યોજના છે AI આધારીત અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવશે અને શાળાના બાળકોને ગળે ઉતરે જાય તે રીતે તેમને સમજાવવામાં આવશે. શિક્ષણના પાયા સમાન સ્કૂલના ભણતરમાં AIનુ શિક્ષણ આપવું તે એક નવતર પગલું કહી શકાય. તાજેતરમાં ગુગલ ફોર ઈન્ડિયા ઈવેન્ટમાં સાક્ષરતા અભિયાનની જાહેરાત કરવામાં આવી હતી. તેનું નામ AI સમર્થ આપવામાં આવ્યું છે.AI સાક્ષરતા માત્ર સ્કૂલે જતા વિદ્યાર્થીઓને જ નહી, પણ તેમના વાલીઓ અને શિક્ષકોને પણ આપવામાં આવશે.

સ્માર્ટફોન અને ઈન્ટરનેટ ગામડાઓ સુધી પહોંચ્યા પછી ત્યાંના વિદ્યાર્થીઓમાં ટેકનોલોજી બાબતે જિજ્ઞાસા ઉભી થઈ છે. સ્માર્ટફોન તેમજ ટેબલેટનો ઉપયોગ સ્કૂલોમાં વધ્યા બાદ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ માટે AI સાક્ષરતા જરૂરી બની ગઈ છે. સમર્થનો અર્થ જ થાય છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગ અંગે માહિતગાર થવું એને સિસ્ટમ સાથે વણાઈ જઈને જે તે વિષયમાં સમર્થ બનવું.કેટલાક સમય પહેલા ભારતની સ્કૂલોમાં સર્વે કરાયો હતો. સ્કૂલે જતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ટેકનોલોજીમાં કેટલો રસ લઈ રહ્યા છે તે જાણવાનો આ સર્વેનો આશય હતો દેખીતું છે કે જો તેમનામાં આધુનિક ટેકનોલોજી સમજવા બાબતે રસ હોય તો આ તેમને આ વિષયની નિકટ લઈ જઈ શકાય.

AI શું છે તેની વાતો સાંભળ્યા કરવાનો કોઈ અર્થ નથી.AI ટેકનોલોજીની પ્રેક્ટિકલ સમજ મહત્વની છે. એક વાત તો નકકી છે કે ગ્રામ્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોને AI સાક્ષરતા અભિયન સાથે વળી લેવાશે ત્યારે ચમત્કાર સર્જાશે. આગામી પાંચ વર્ષમાં પચાસ લાખ લોકોને AI સાક્ષરતા સાથે જોડવામાં આવશે. આ અભિયાનને કારણે વર્તમાન શિક્ષણ ક્ષેત્રે ઉભી થતી અમુક સમસ્યાઓને નિવારી શકાશે તેવી અપેક્ષા છે.સ્કુલના વિદ્યાર્થીઓને AI જેવા ભારેખમ વિષયનું જ્ઞાન આપવું પડકારજનક છે, પરંતુ સ્વૈÂચ્છક સંસ્થાઓ આ દિશામાં કામ કરી રહી છે.

AI સાક્ષરતા અભિયાનને સ્કૂલોના સિલેબસની સાથે વણી લેવામાં આવશે.AI નિષ્ણાતો કહે છે કે જેમ જેમ AI સાક્ષરતા અભિયાન આગળ વધતું જશે અને લોકોમાં ક્રમશઃ તેના વિશેની સમજણ વધતી જશે પછી તેનો ઉપયોગ પણ વધશે તેમજ નવા AI ઈનોવેશન્સ પણ થશે.કોર્પોરેટ કંપનીઓ અને શિક્ષિત વર્ગને AIનું નોલેજ અપવું પ્રમાણમાં આસાન હોય છે, પરંતુ ગામડાંની સ્કૂલો અને શિક્ષકોને આ વિષયમાં સાક્ષર બનાવવા એ મોટો પડકાર છે. અનેક પડકારો હોવા છતાં સેન્ટ્રલ સ્કેવર ફાઉન્ડેશન નામની સ્વૈÂચ્છક સંસ્થાએ સમર્થ પ્રોજેકટ હાથમાં લીધો છે.

ડિજિટલ સિસ્ટમના ઉપયોગમાં દેશમાં બે ભાગ પડયા હોય એમ લાગે છે. શેહરોમાં ડિજિટલ ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ થાય છે, પણ ટાઉન લેવલે અને ગામડામાં તેનો ઉપયોગ સાવ ઓછો અથવા તો નહીવત થાય છે.ગ્રામ્ય સ્કૂલો અને શિક્ષકોને AI સાક્ષરતા અભિયાન સાથે સક્રિય રીતે જોડવાનું આજ કારણ છે. આ પ્રોજેકટમાં જે ગ્રામ્ય સ્કૂલોને AI સાક્ષર બનાવવાની વાત છે ત્યાં સામાન્ય શિક્ષણ માટેનું યોગ્ય વાતાવરણ પણ નથી તેથી તેમને રસ જાગે તે રીતે AI સમર્થ અભિયાન શરૂ કરવું પડશે.

હાલ ભારતમાં પંદર લાખ સ્કૂલો છે અને ૯પ લાખ શિક્ષકો છે. ગામડામાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા આશરે ર૬ કરોડ પ૦ લાખ છે. ગામડામાં જયાં સામાન્ય સાક્ષરતા અભિયાનને પણ લોકો અપેક્ષિત ટેકો નથી આપતા ત્યાં AI સાક્ષરતા માટે ટેકો મેળવવો એ મોટા પડકાર સમાન બની રહેવાનું છે. છૈં સાક્ષરતાથી ગામડામાં ડિજિટલ ટેકનોલોજીને ઉપયોગ વધશે. છૈં સાક્ષરતામાં ભારતના શિક્ષણ જગતને નવી દિશા બતાવી શકવાનું કૌવત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.