Western Times News

Gujarati News

ગોરમાનો વર કેસરિયો ને નદીએ નાહવા જાય રે  ગોરમા…..””.   

બાયડ તાલુકામાં ગૌરીવ્રત અને જયા પાર્વતી ના વ્રત નું પૂજન કરાયું.   બાયડ તાલુકાના ઋણમુક્તેશ્વર મંદિર  બાયડ ગામમાં  સોમનાથ મહાદેવ  તથા વૈજનાથ મહાદેવ તેમજ વાત્રકના ધારેશ્વર મહાદેવ મંદિરમાં ગૌરી વ્રત અને જયાપાર્વતીના વ્રત નું પૂજન અર્ચન કરવામાં આવ્યું તેમાં મંદિરના પુજારી દ્વારા મંત્રોચ્ચાર કરીને પૂજન અર્ચન કરવામાં આવે છે   આજે ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રતની  ઋણમુક્તેશ્વર મહાદેવ ના પૂજારી તરુણ ભટ્ટ દ્વારા  ગૌરીવ્રત અને  જયાપાર્વતીના વ્રત વિશે વ્રતનો મહિમા સમજાવવામાં આવ્યો હતો

અષાઢ સુદ અગિયારસથી શરૂ થનારું કુમારિકાઓને મનભાવન ભરથારની એટલે કે પતિ પ્રાપ્ત કરાવનારું ગૌરીવ્રત અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્ત કરાવતું જયા પાર્વતી વ્રતની શરૂઆત થઈ રહી છે, તેનો મહિમા કંઇક આવો છે

શિવપુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી પાર્વતીએ શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે આ બંને વ્રતો કર્યા હતા. વ્રત દ્વારા જ પાર્વતીજીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. ત્યારથી કુમારિકા પોતાને મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્તિના શુભ હેતુથી આ વ્રતો કરતી આવે છે.

અષાઢ સુદ એકાદશીથી પૂર્ણિમા સુધી પાંચ દિવસનું ગૌરી વ્રત તેમજ અષાઢ વદ બીજ સુધીનું જયા પાર્વતી વ્રત સતત પાંચ વર્ષ સુધી વારાફરતી કરવામાં આવે છે. આ બંને વ્રતમાં અષાઢી હરિયાળીને અનુરૂપ ‘જ્વારા’નું પૂજન કરવામાં આવે છે. પકાવેલા રામપાત્રની અંદર ભીની માટીમાં સાત પ્રકારના ધાન્ય; ઘઉં, જઉં, તલ, મગ, તુવેર, ચોળા અને અક્ષત વાવીને જ્વારા ઉગાડાય છે. અષાઢ મહિનામાં આ સાતેય ધાન્યથી ખેતરો લહેરાતા હોય છે. નાની બાળાઓ દ્વારા રમતી ગૌરી વ્રત કરવામાં આવે છે વ્રત નું પૂજન કર્યા પછી મહારાજ તમને આશીર્વાદ પણ આપે છે
ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રતની સર્વે બાલિકાઓ અને સુહાગણો ને શુભકામનાઓ ..

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.