ઘાટલોડિયામાં CMના જન્મદિવસને લઈને વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાશે
(એજન્સી)અમદાવાદ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આવતીકાલે ૧૫મી જુલાઈના રોજ સોમવારે જન્મ દિવસ છે. ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસને લઈને વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને ભાજપા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલના મતવિસ્તાર ઘાટલોડિયા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે..
સવારે ૮.૩૦ કલાકે ગોતામાં વંદેમાતરમ ચાર રસ્તા પાસે એએમસીના સફાઈ કામદાર બહેનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે. સવારે ૯થી ૧૧ કલાક સુધી બોડકદેવ ખાતે પંડિત દિનદયાલ હોલ પાસે સિગ્નલ સ્કૂલના બાળકો તથા તેમના માતા-પિતાનું હેલ્થ ચેકએપ, આયુષ્યમાન કાર્ડ અને આધારકાર્ડ કેમ્યનું આયોજન કરવામાં આવ્યું છે.
સોલાની સિવિલ હોસ્પિટલમાં સવારે ૧૦ કલાકે હોસ્પિટલના દર્દીઓને ફૂટનું વિતરણ કરાશે. ૧૦.૩૦ કલાકે વસ્ત્રાપુર ખાતે અંધજનમંડળ ખાતે દિવ્યાંગ બાળકોને ભોજન કરાવવામાં આવશે. સવારે ૧૧ કલાકે ઘાટલોડિયા મતવિસ્તારમાં આવતી આવતી તમામ આંગણવાડીના બાળકોને ફૂટ વિતરણ કરવામાં આવશે સવારે ૧૧ કલાકે ખોડિયાર ગામ ખાતે ૬૨ સગર્ભા બહેનોને પૌષ્ટીક આહાર કીટનું વિતરણ કરાશે.
સવારે ૧૧.૩૦ કલાકે ઘાટલોડિયા મતવિસ્તારની એએમસી સંચાલિત સ્કૂલના બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવશે. સાંજે ૭ કલાકે સોલા ભાગવત ખાતે મહાઆરતી યોજવામાં આવશે સાંજના ૭૧૫ કલાકે થલતેજના દૂરદર્શન ચાર રસ્તા પાસે આવેલા સાઈ મંદિર ખાતે નિરાધાર લોકોને ભોજન કરાવવામાં આવશે.