છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરનાના ૫૮ કેસ નોંધાયા
ગાંધીનગર, ગુજરાતમાં આજે રાજ્યનાં નવા ૫૮ કેસ નોંધાયા છે. તો ૫૬ દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૭,૫૪૩ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ વધીને ૯૮.૭૧ ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ ૨,૫૬,૪૫૨ રસીના ડોઝ અપાયા હતા.
બીજી તરફ જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૫૪૯ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૫ નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૫૪૪ નાગરિકો સ્ટેબલ છે. ૮,૧૭,૫૪૩ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે ૧૦૦૯૯ નાગરિકોનાં કોરોનાને કારણે કુલ મોત થયા છે.
આજે વલસાડમાં પણ એક નાગરિકનું મોત નિપજ્યું છે. અમદાવાદ કોર્પોરેશનમાં ૧૮, વડોદરા કોર્પોરેશનમાં ૧૨, ભાવનગર-કચ્છમાં ૫-૫ કેસ, નવસારી-રાજકોટ કોર્પોરેશનમાં ૪-૪ કેસ, પાટણ-સુરત કોર્પોરેશનમાં ૨-૨ કેસ, અમદાવાદ, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીરસોમનાથ, રાજકોટ અને વડોદરામાં ૧-૧ કેસ નોંધાયા છે. આ પ્રકારે કુલ ૫૮ કેસ નોંધાયા છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.
હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૧૩ને પ્રથમ અને ૯૪૪ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૭૪૯૭ અને ૬૦૮૯૬ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૨૪૭૭૦ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૧૬૨૩૩૨ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૨,૫૬,૪૫૨ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૮,૫૫,૫૬,૫૮૦ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.SSS