છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૧૫૬ કોરોનાના કેસ નોંધાયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Corona.jpeg)
નવી દિલ્હી, દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે ૧૬,૧૫૬ નવા કોવિડ-૧૯ કેસ નોંધાયા છે અને ૭૩૩ લોકોના મોત થયા છે. છ દિવસમાં જ ૩૨૦૦થી વધુ સંક્રમિતોના મોત થયા છે.
એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧,૬૦,૯૮૯ પર પહોંચી છે. આઈસીએમઆરના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં ૬૦,૪૪,૯૮,૪૦૫ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે પૈકી ૧૨,૯૦,૯૦૦ સેમ્પલનું ગઈકાલે ટેસ્ટિંગ થયું હતું. કોરોનાનાનું સંક્રમણ ધીમું પડી રહ્યું છે ત્યારે દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર થોડા સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે.
ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર થોડા સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -૧૯ માર્ગદર્શિકા જાહેર કર્યાના ત્રણ દિવસ બાદ વાત કરતા જણાવ્યું કે.
હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જાે આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે.
આવતા થોડા સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર દિવાળી, ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.SSS