જંબુસરની નવયુગ વિદ્યાલયના બાળકો ગરબે ધુમ્યા

ભરૂચ : હાલ આસો નવરાત્રી ચાલુ હોય ઠેરઠેર માં જગદંબા ની આરાધના કરાતી હોય છે.નવતાર્તી દરમ્યાન ખૈલયાઓ માનમુકી ગરબે ઝૂમી ઉઠે છે.જંબુસર શહેર ની હાઈસ્કૂલો,શાળા માં પણ નવરાત્રી પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી.
શહેર ની નવયુગ વિદ્યાલય ખાતે ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે નવરાત્રી પર્વ ની ઉજવણી કરવા માટે હાઈસ્કૂલ ના ઉત્સાહી આચાર્ય હિતેન્દ્ર ઠાકોર દ્વારા ગરબા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર ના વિદ્યાર્થીઓ ડીજે ના તાલે મનમુકી ને ઝૂમી ઉઠ્યા હતા.
વિધાયર્થીઓ ને પ્રોત્સાહિત કરવા સ્કૂલ નો સ્ટાફ પણ ગરબા માં જોડાયો હતો.ગરબા બાદ સમૂહ આરતી અને ઈનામ વિતરણ કાર્યક્રમ માં પ્રથમ,દ્રિતીય અને તૃતીય ઈનામો મળી કુલ ૧૮ વિદ્યાર્થીઓ ને ઈનામ ઉપસ્થિતિ મહાનુભાવો ના હસ્તે આપવામાં આવ્યા હતા.નિર્ણાયકો ની મહત્વ ની ભૂમિકા બહાર ની સ્કૂલો ના શિક્ષકો એ નિભાવી હતી.
પ્રાથમિક વિભાગ માં ઝીલમીલ કાછીયા પટેલ,રુદ્ર પટેલ,માધ્યમિક વિભાગ માં જીનલ બારોટ,માનવ ગૌસ્વામી,ઉચ્ચતર વિભાગ માં પટેલ મૈત્રી,શર્મા કિર્તન પ્રથમ નંબરે આવ્યા હતા. આ પ્રસંગે શાળા ના નિવૃત્ત શિક્ષકો,શહેર ના અગ્રણીઓ સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યા માં હજાર રહી ગરબા નો લાભ લીધો હતો.