જમીનના વેચાણની એન્ટ્રી માટે ર.૬૦ લાખની લાંચ લેતા ઝડપાયેલા કલોલના નાયબ મામલતદારની જામીન અરજી ઉપર ચુકાદો અનામત
લાંચ પ્રકરણના મુખ્ય સુત્રધારઃ સરકાર
(એજન્સી)અમદાવાદ, કલોલના મામલતદાર ડો.મયંક પટેલે એ જામીન મેળવવા માટે કરેલી અરજીની સુનાવણી બાદ એડીશનલ ડિસ્ટ્રીકટ જજ બી.પી.પુજારાએ તા.૯મીએ મેના રોજ હુકમ માટે રાખી છે.
સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી મામલતદાર મયંક પટેલે મુખ્ય સુત્રધાર હોય તેને જામીન પર મુકત કરવામાં આવે તો સમાજ ઉપર અવળી અસર પડે તેમ છે. આ ગુનામાં હજુ નાયબ મામલતદાર પ્રવીણ પરમાર નાસી ગયા હોય તેની તપાસ ચાલી રહી છે.
કલોલ મામલતદાર કચેરીમાં જમીન તકરાર કે જમીનોની એન્ટ્રી અને જમીનોને લગતા કામકાજમાં મસમોટી રકમ વસુલીને કામ કરતા હોવાની વ્યાપક ફરીયાદો એસીબી તથા સરકારમાં પહોચી હતી. દરમ્યાન સોમવારે ગાંધીનગર મુલસણા ગામની બીનખેતી જમીનની ટ્રસ્ટમાં વેચાણની ર૩ એન્ટ્રી કરાવવા માટે રૂ. ર.૬૦ લાખની લાંચ લેતા મામલતદાર ડો.મયંક પટેલે એન કોમ્પ્યુટર ઓપરેટર નીખીલ પાટીલને એસીબીએ ઝડપી લીધા હતા.
આ દરમ્યાન મોકાનો લાભ ઉઠાવી નાયબ મામલતદાર પ્રવીણ પરમાર ફરાર થઈ ગયો હતો. આજે મામલતદાર ડો.મયંક પટેલની જામીન અરજીની સુનાવણી હતા જેમાં સરકારી વકીલ રાકેશ પટેલે કોર્ટમાં તપાસનીશ અધિકારીઓની એફીડેવીટ રજુ કરીને જણાવ્યું હતું કે, આરોપી મુખ્ય સુત્રધાર છે. આરોપીના કહેવાથી રૂ.ર.૬૦ લાખની લાંચ લીધી હતી.
આરોપીએ લાંચની માંગણી કરી હતી. તેનું રેકોડીગ પણ છે. ગુનામાં નાયબ મામલતદાર પ્રવીણ પરમાર નાસતો ફરે છે. આરોપીને જામીન પર મુકત કરવામાં આવે તો સમાજ પર અવળી અસર પડે તેમ છે. ત્યારબાદ કોર્ટે જામીન અરજી ઉપર ચુકાદો અનામત રાખ્યો છે.