જયનગર એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ખડી પડ્યા
મુંબઈ, લોકમાન્ય તિલક ટર્મિનસ-જયનગર અંત્યોદય એક્સપ્રેસ (૧૧૦૬૧) ના ૧૦ કોચ રવિવારે બપોરે મહારાષ્ટ્રના નાસિકની પાસે લાહવિત અને દેવલાલી વચ્ચે ડાઉન લાઇન પર પાટા પરથી ખળી પડ્યા હતા. At least 10 coaches of the 11061 Lokmanya Tilak Terminus-Jaynagar Antyodaya Express derailed between Devlali and Lahavit stations near #Nashik on Sunday afternoon, officials said.
ન્યૂઝ એજન્સી પ્રમાણે ઘટના બપોરે ૩.૧૦ કલાકની છે. અત્યાર સુધી કોઈ દુર્ઘટનાની સૂચના નથી. આ ટ્રેન મુંબઈથી બિહાર જઈ રહી હતી. મધ્ય રેલવેના સીપીઆરઓએ કહ્યુ કે દુર્ઘટના બાદ સ્થળ પર રાહત ટ્રેન અને મેડિકલ વેન પહોંચી ગઈ છે. રાહત દળે સ્થળ પર સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું છે.
જલદી સ્થિતિ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવશે. દુર્ઘટનાને લઈને રેલવેએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન પર એક હેલ્પલાઇન શરૂ કરી છે. ૫૫૯૯૩; એમટીએનએલ, ૦૨૨૨૨૬૯૪૦૪૦; જાહેર હેલ્પલાઇ નંબર, ૦૨૫૩-૨૪૬૫૮૧૬.