Western Times News

Gujarati News

જલેબી-ભજીયાના પ્રસાદ વાળો મેળો ન યોજાયો

મોરબી, મેળા તો તમે ઘણા જાેયા હશે પરંતુ જલેબી-ભજીયાનો મેળાઓ તમે જાેયો નહિ જ હોય જાે કે આવો મેળો માણવો હોય તો મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે જવું પડે. કેમ કે ત્યાં વાંકાનેર રાજ્યના રાજ પરિવારના ગુરૂ એવા નાગાબાવાના મંદિરે શ્રાવણ વદ નોમની રાતે આરતી યોજાઇ છે. જેના બાદ જલેબી ભજીયાનો પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે. ત્રણ દિવસનો આ મેળો હોય છે.

જાે કે, હાલમાં કોરોના મહામારીની ત્રીજી લહેરને ધ્યાને રાખીને આ વર્ષે મેળો બંધ રાખવામાં આવેલ છે. પરંતુ રાતની મહા આરતીમાં વાંકાનેર અને આસપાસના ગામોમાંથી માનવ મહેરામણ ઉમટ્યું હતું છે. જલેબીને ભજીયાનો મેળો આ સાંભળીને જ કોઇપણ વ્યક્તિને નવાઇ લાગે, પરંતુ આ વાત સો ટકા સાચી છે.

મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવેલ નાગાબાવાના મંદિર ખાતે દર શ્રાવણ મહિનામાં નોમની રાતથી ત્રણ દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. જ્યાં મહા આરતી પછી ભક્તોને જલેબી અને ભજીયાનો પ્રસાદ આપવામાં આવે છે. એવું કહેવાય છે કે, વાંકાનેરના ઇતિહાસ સાથે નાગાબાવા, શાહબાવા અને વનમાળીદાસ આ ત્રણ સંતોનો ઈતિહાસ જાેડાયેલા છે અને નાગાબાવાને વાંકાનેરના રાજાએ ગુરુ બનાવ્યા હતા અને વાંકાનેર વસ્યું તેમાં નાગાબાવાના આશીર્વાદ છે.

એવુ પણ કહેવામાં આવે છે કે વાંકાનેરમાં નાગાબાવા અને શાહબાવા ગઢીયા ડુંગરમાં પૂર્ણ કુટીર બનાવી રહેતા હતા. એક દિવસ ધાંગધ્રા સ્ટેટના ૧૫૧ ઘોડેસવારો સાથે રાજકુમાર આવ્યા હતા અને તેમની કુટિરમાં આશરો લીધો હતો. ત્યારે નાગાબાવાએ એક થાળીમાં રહેલ લાડવા અને ગાંઠીયા પર ખપ્પર ઢાંકી બધાં લોકોને ભરપેટ જમાડ્યા હતા.

તેમણે પાણી પીવા માટે ચીપિયાનો જ્યાં ઘા કર્યો હતો, અને ચીપિયો જ્યાં પડ્યો ત્યાં અમૃત નામનો વિરડો બન્યો હતો. જ્યાં બધાએ પાણી પીધું. આજે પણ આ વીરડો ગઢીયા ડુંગરમાં છે અને મીઠું પાણી આજે પણ મળી રહ્યું છે. પૌરાણિક મેળો હોવાથી ન માત્ર મોરબી કે વાંકાનેરના જ લોકો, પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ઘણા લોકો જલેબી ભજિયાનો મેળો માણવા માટે વાંકાનેર આવે છે.

વષો પહેલા જે જગ્યાએ નાગાબાવાએ જીવતા સમાધિ લીધી હતી તે જગ્યાએ જ હાલમાં નાગાબાવાનું મંદિર આવેલું છે અને તે મંદિરના લાભાર્થે જ આ મેળાનું આયોજન કરવામાં આવે છે.

જાે કે, આ વર્ષે કોરોનાની ત્રીજી લહેરની આગાહી હોવાથી મેળાને બંધ રાખવામાં આવ્યો છે. આમ વાંકાનેરના ઇતિહાસ સાથે નાગાબાવાનો ઈતિહાસ જાેડાયેલો છે અને નાગાબાવાએ નોમના દિવસે જીવતા સમાધિ લીધી હોવાથી તે દિવસે તે સમયથી દર વર્ષે વાંકાનેર ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે અને નોમની રાત્રે બાર વાગ્યે મહાઆરતી બાદ હજારો લોકો મંદિરે ભજીયા અને જલેબીનો પ્રસાદ લેવા માટે આવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.