Western Times News

Gujarati News

જામનગરમાં અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત નિપજયાં

જામનગર: જામનગરમાં આવેલ ખંભાળિયા ધોરીમાર્ગ પર પડાણા પાટીયા પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં કાર બે થી ત્રણ વખત પલટી મારી ગઈ જેના કારણે સગા ભાઈના કરૂણ મોત નિપજ્યા છે. ધોરીમાર્ગ પર એકાએક શ્વાન વચ્ચે આવી ગયું જેના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. કારમાં કુલ પાંચ વ્યક્તિઓ સવાર હતા, જેમા બે યુવકોના ઘટના સ્થળેજ મોત થયા. જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા જેથી તેમને સારવાર અર્થે તાત્કાલીક જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જે બે ભાઈઓના મોત થયા છે. તેમના નામ રાજેન્દ્રસિહ ઝાલા અને પૃથ્વીસિંહ ઝાલા હોવાનું સામે આવ્યું છે. આ મામલે જ્યારે પોલીસને અકસ્માતની જાણ થઈ ત્યારે પોલીસ પણ તુરંત ઘટના સ્થળે પહોચી હતી. જ્ચા તેમણે કાર્યવાહી આરંભી તેમજ ઘાયલોને તાત્કાલીક તેમણે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

બે ભાઈઓના મોત થવાને કારણે પરિવાર પણ જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતી સર્જાઈ છે. બંને ભાઈઓ પડાણાના સરપંચમા ભત્રિજા હોવાનું સામે આવ્યું છે. જેમા રાજદીપસિંહ ઝાલાના ઘરે તો હજુ અઠવાડિયા પહેલાજ પુત્રનો જન્મ થયો હતો. જેથી તેમના પત્ની અને પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.