જ્વેલરી બ્રાન્ડની અક્ષય તૃતીયાની જાહેરાતમાં બિંદી વગર દેખાઈ કરીના

મુંબઈ, અક્ષય કુમારે ઈલાયચી બ્રાન્ડની જાહેરાતમાં કામ કર્યા બાદ થયેલા વિવાદ પર હજી પૂર્ણવિરામ નથી મૂકાયું, ત્યાં બોલિવુડ એક્ટ્રેસ Kareena Kapoor તેની લેટેસ્ટ જાહેરાતના કારણે ટ્રોલ થઈ છે. એક્ટ્રેસ, જે એક જ્વેલરી બ્રાન્ડની એમ્બેસેડર છે, તેણે હિંદુ ધર્મના શુભ તહેવાર અક્ષય તૃતીયાને પ્રમોટ કરતી એક તસવીર આવી હતી.
આ તસવીરમાં, કરીના કપૂર ગ્લિટરિંગ લહેંગાની સાથે ગોલ્ડ જ્વેલરીમાં જાેવા મળી હતી. તેણે માથા પર ટીકો પણ લગાવ્યો હતો. જાે કે, તેના કપાળમાં બિંદી (ચાંદલો) દેખાઈ નહીં. આ વાતથી Twitter યૂઝર્સ નારાજ થયા. કેટલાક યૂઝર્સે ન માત્ર બ્રાન્ડને બોયકોટ કરવાની માગ કરી, પરંતુ આ સાથે કરીના કપૂર ખાનને પણ ટ્રોલ કરી દીધી.
એક યૂઝરે જ્વેલરી બ્રાન્ડની જૂની અને લેટેસ્ટ જાહેરાત શેર કરતાં લખ્યું હતું ‘આખી દુનિયા જાણે છે કે, બિંદી આપણી પરંપરાગત પ્રથાનો એક ભાગ છે, જે ચેતનાના કેન્દ્રના સંદર્ભમાં પહેરવામાં આવે છે, જે ભારતની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક છે. શું તેઓ તે હકીકતથી વાકેફ નથી? કેટલીકવાર કોન્ટ્રોવર્સી સારું પીઆર ઉભું કરે છે’. એક યૂઝરે લખ્યું હતું ‘દરેક હિંદુ મહિલા તેના કપાળમાં બિંદી લગાવે છે.
પરંતુ જાહેરાતમાં કરીનાને બિંદી વગર દેખાડી છે તે હિંદુ ધર્મનું અપમાન છે’. તો એક લખ્યું હતું કે, ‘જાે કરીના લગ્ન બાદ હિંદુ તહેવાર અને બિંદીનું મહત્વ ભૂલી ગઈ હોય તો માત્ર પૈસા કમાવવા માટે તેણે આવી જાહેરાતો કરવાનું ટાળવું જાેઈએ’.
હાલમાં જ અક્ષય કુમાર તેની ઈલાયચી બ્રાન્ડની જાહેરાતના કારણે વિવાદમાં ફસાયો હતો. ફેન્સે ફિટકાર વરસાવતાં અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર માફી માગી હતી. આ સાથે ભવિષ્યમાં કોઈ પણ જાહેરાત કરતાં પહેલા વિચારવાનું વચન આપ્યું હતું. કરીના કપૂરની વાત કરીએ તો, તે કોઈ વાતને લઈને ટ્રોલિંગનો શિકાર બની હોય તેવું પહેલીવાર થયું નથી. અગાઉ પણ તેની સાથે આમ થઈ ચૂક્યું છે.
ક્યારેય અલગ ધર્મનું પાલન કરતાં સૈફ અલી ખાન સાથે લગ્ન કરવા અંગે, ક્યારેય બંને દીકરા- તૈમૂર અને જેહના નામને લઈને તો ક્યારેક ફોટોગ્રાફર્સ તેમજ ફેન્સને એટિટ્યૂડ દેખાડવા વિશે.SSS