ઝઘડિયાના એક ગામની સગીર વયની છોકરીને કોઈ અજાણ્યો ઈસમ ભગાડી ગયો
(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામની એક ૧૭ વર્ષીય સગીરાને કોઈ અજાણ્યો ઈસમ ભગાડી ગયો હોવાનો બનાવ બનવા પામ્યો છે.
આ અંગે મળતી વિગતો મુજબ આ સગીરા ધો.૧૦ સુધીનો અભ્યાસ કરેલ છે, તેમજ તે તેના મોટા કાકા સાથે રહે છે.દરમ્યાન ગત તા.૧૫ મીના રોજ પરિવારના સભ્યો રાતના સાડા દસેક વાગ્યાના અરસામાં જમી પરવારીને સુઈ ગયા હતા.
રાતના બે વાગ્યે સગીરાના મોટાકાકા જાગ્યા ત્યારે તેમની સગીર વયની ભત્રીજી ઘરમાં જ્યાં સુતી હતી ત્યાં જણાઈ નહતી.ત્યાર બાદ પરિવારજનોએ તેની શોધખોળ કરવા છતાં તે મળી નહતી.કોઈ અજાણ્યો ઈસમ તેમના વાલીપણા માંથી તેમની સગીર વયની ભત્રીજીનું અપહરણ કરી લઈને નાશી ગયો હોવાની ખાતરી થતા સગીરાના વાલીએ નજીકના પોલીસ સ્ટેશનમાં સગીરાને ભગાડી જનાર અજાણ્યા ઈસમ વિરુધ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી હતી.
ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં અવારનવાર સગીર વયની યુવતીઓને પટાવી ફોસલાવીને લગ્નની લાલચ આપી ભગાડી જવાની ઘટનાઓ બનતી હોવાનું જાણવા મળ્યું છે.