ટિકિટ ચેકરે ૨૦,૬૦૦ યાત્રી પાસે ૧.૭૦ કરોડનો દંડ વસૂલ્યો
જબલપુર, ચાલુ નાણાકીય વર્ષમાં પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર વિભાગના મુખ્ય ટિકિટ ચેકરે ટિકિટ વિના મુસાફરી કરી રહેલા મુસાફરો પાસેથી ૧.૭૦ કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.
સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર વિશ્વ રંજને પ્રેસનોટમાં જણાવ્યું હતું કે ૧૬ ટિકિટ નિરીક્ષકોએ વ્યક્તિગત રીતે એકત્રિત આવા મુસાફરો પાસેથી ૧ કરોડ રૂપિયાથી વધુનો દંડ વસૂલ્યો છે.
મુખ્ય ટિકિટ નિરીક્ષક આશિષ યાદવે જણાવ્યું હતું કે તેમણે ૧ એપ્રિલ, ૨૦૨૧ થી ૯ માર્ચ સુધી ૨૦,૬૦૦ મુસાફરો પાસેથી રૂ. ૧.૭૦ કરોડનો દંડ વસૂલ્યો હતો.
એક અધિકારીએ જણાવ્યું હતું કે વ્યક્તિગત ક્ષમતામાં આ સૌથી વધુ સંગ્રહ હોઈ શકે છે. વિશ્વ રંજને કહ્યું ચાલુ નાણાકીય વર્ષમાં યાદવ સહિત ૪૨ સભ્યોની ફ્લાઈંગ સ્કવોડે વિવિધ ટ્રેનોમાં મુસાફરો પાસેથી ૭૧ કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. પશ્ચિમ મધ્ય રેલ્વેનું મુખ્ય મથક જબલપુર છે, જેમાં જબલપુર, ભોપાલ અને કોટા એમ ત્રણ રેલ વિભાગોનો સમાવેશ થાય છે.SSS