ટીંટોઇ જનતા શરાફી મંડળીમાં કમિટી સભ્યોની તાલીમ-શિક્ષણ શિબિર યોજાઈ
(તસ્વીર ઃ બકોર પટેલ, મોડાસા) અરવલ્લી જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે આજરોજ ટીંટોઇ જનતા શરાફી મંડળીમાં એક દિવસીય કમિટી સભ્યોની તાલીમ-શિક્ષણ શિબિર સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
આ શિબિરમાં પ્રારંભે સંઘના ડિરેકટર અને સહકારી અગ્રણી શામળભાઈ એમ.પટેલે સહકાર અને સહકારી સંસ્થાઓની અગત્યતા અને એના વ્યવસ્થાપક કમિટીની જવાબદારીઓ અને સહકારી સંસ્થાઓ,મંડળીઓ, શરાફી મંડળીઓ ઉતકર્ષ માટે ચેરેમેન થી લઈ કમિટી સભ્યોનું ઉત્તરદાયિત્વ શુ છે એ વિશે ઉંડાણપૂર્વક માર્ગદર્શન આપી સંઘની સ્થાપના અને એની પ્રગતિ વિશે પણ ખ્યાલ આપ્યો હતો.
આ તાલીમ વર્ગમાં નિવૃત્ત એક્ઝિક્યુટિવ ઓફિસર સુરેશભાઈ પટેલે”ડુઝ એન્ડ ડોન્ટસ ફોર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ઓફ કો.ઓપ.ક્રેડિટ સોસાયટી, ક્રેડિટ સોસાયટીના ડિરેક્ટર્સની મિટિંગના સંદર્ભમાં થતી જવાબદારીઓ અને ક્રેડિટ સોસાયટીના પેટા નિયમમાં ફેરફાર કરાવવાની જરૂરિયાત વિશે માહિતી આપી હતી.
જ્યારે નિવૃત ઓડિટર અને એડવોકેટ જે.કે.દરજીએ સહકારી કાયદા વિશે અને એની વિવિધ કલમો વિશે સહકારી મંડળીઓના ઉપસ્થિત તાલીમાર્થીઓને ઝીણવટભરી માહિતી આપી હતી.
આ તાલીમ વર્ગના પ્રારંભે એક્ઝિક્યુટિવ ઓફિસરે હરિપ્રસાદ જાેષીએ સૌનું સ્વાગત કર્યું હતું.આ તાલીમમાં જનતા શરાફી મંડળીના ચેરમેન મયુરધ્વજસિંહ ચંપાવત સહિત દસથી વધુ સંસ્થાઓના ચેરમેનો,કમિટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તાલીમ અને માર્ગદર્શન મેળવ્યું હતું.*