ટેટ-૧ અને ટેટ-૨ના ઉમેદવારો માટે મોટા સમાચાર: ૩૩૦૦ ઉમેદવારને જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી મળશે ઑર્ડર
ગાંધીનગર, જાન્યુઆરીમાં ગુજરાત સરકાર દ્વારા ટેટ-૧ અને ટેટ-૨ની ૨૦૧૯ની ભરતીમાં જગ્યામાં વધારો કરવામાં આવ્યો હતો. અને ઝડપી સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે તેવી બાંહેધરી પણ આપી હતી. લાંબા સમયથી રાહ જાેઇ રહેલા ટેટ-૧ અને ટેટ-૨ના ઉમેદવારો માટે મોટા સમાચાર મળી રહ્યા છે.
૩૩૦૦ ઉમેદવારને જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં ઓર્ડર આપી હાજર કરી દેવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.ટેટ-૧ અંતર્ગત ૧,૩૦૦ શિક્ષકોની ધો.૧થી ૫માં ફાળવણી કરવામાં આવી છે.જ્યારે ટેટ-૨ અંતર્ગત ૨ હજાર શિક્ષકોની ધો.૬થી ૮માં ફાળવણી થઈ છે.
સૌથી વધુ કચ્છમાં ૨૨૬ શિક્ષકો ફળવાયા છે. સૌથી ઓછી ફાળવણી જૂનાગઢમાં ૬ શિક્ષકોની થઈ છે. છેલ્લા ઘણા સમયથી વિદ્યાસહાયકની ભરતી ન થતા ઉમેદવારોમાં હતાશા હતી. ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારના સ્વર્ણિમ પાર્કમાં દેખાવ પણ કર્યા હતા.
૨૦૧૯માં ભરતીમાં પૂર્ણ ન થતાં રોષ વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં વિદ્યાસહાયકની ૧૯ હજારથી વધુ ખાલી જગ્યા છે. જેમાંથી ૩૩૦૦ જગ્યા જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં ભરી દેવામાં આવશે.SS3KP