ડેમાઇના તળાવમાં મોટી સંખ્યામાં મૃત મરઘાનો નિકાલ કરતા હડકંપ
(પ્રતિનિધિ) બાયડ, બાયડ તાલુકાના ડેમાઈ ગામે આવેલા તળાવમાં કોઈએ મોટી સંખ્યામાં મૃત મરઘા નો નિકાલ કરતા હડકંપ મચી જવા પામ્યો છે અને તળાવમાં મૃત મરઘાનો નિકાલ કરતા રોગચાળો ફેલાવવાની દહેશત સેવાઇ રહી છે.
આ મામલે ડેમાઈ ગ્રામ પંચાયતના સરપંચને લેખિતમાં રજૂઆત કરી આ બાબતે પગલાં ભરવાની માગણી કરવામાં આવી છે બાયડ ની નજીક આવેલા ડેમાઈ ગામ થી ફાટા રોડ રોડ ઉપર જતા એક તળાવ આવેલું છે જ્યાં વહેલી સવારે મૃત મરઘા તળાવ નજીક નિકાલ કર્યો હોય તેવું ત્યાંના રહીશો ના ધ્યાને આવતા રહીશો રૂબરૂ તપાસ કરતા મોટી સંખ્યામાં મૃત મરઘા કોઈ કે ત્યાં નાખેલા હોય તે જાેઈને ત્યાંના સ્થાનિક રહીશો ચોંકી ઊઠયા હતા અને ગ્રામ પંચાયતમાં લેખિતમાં રજૂઆત કરી હતી જેઓના જણાવ્યા મુજબ તળાવમાં પોલ્ટ્રી ફોર્મ ના માલિકોએ રોગથી મૃત્યુ પામેલા મરઘા ઓનો નિકાલ તળાવમાં કર્યો હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
જેનાથી રોગચાળો ફેલાવવાની દહેશત શેવાઇ રહી છે તળાવ પાસેથી પસાર થતાં ખેડૂતો તેમજ રાહદારીઓને માથું ફાડી નાખે તેવી દુર્ગંધ નો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે જવાબદાર પોલ્ટ્રી ફાર્મ ના માલિકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ કરાઈ રહી છે જ્યારે જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા ડેમાઇ પંથક તેમજ જિલ્લામાં આવેલા અન્ય પોલ્ટ્રી ફાર્મની તપાસ કરવામાં આવે કે આટલા બધા પ્રમાણમાં મરઘાઓ મૃત્યુ પામવાનું કારણ કયું?*