Western Times News

Gujarati News

તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્‌સ ૧૫ ડિસેમ્બરથી શરૂ કરાશે

નવી દિલ્હી, કોરોના વાયરસના નવા વેરિયન્ટના ટેન્શન દરમિયાન ઈન્ટરનેશનલ ફ્લાઈટ્‌સના મુદ્દે કેન્દ્ર સરકારે મહત્વનો ર્નિણય લીધો છે. કેન્દ્ર સરકારે ફરી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્‌સ શરૂ કરવાનો ર્નિણય લીધો છે. ૧૫ ડિસેમ્બરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટસ શરૂ કરવામાં આવશે.

મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશને જણાવ્યું કે ભારત આવતી-જતી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્‌સ ૧૫ ડિસેમ્બરથી સામાન્યરૂપે સંચાલિત થશે. અહીં નોંધનીય છે કે ભારત આવતી-જતી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્‌સ કોરોના વાયરસની મહામારીના કારણે તારીખ ૨૩ માર્ચ, ૨૦૨૦થી જ બંધ છે.

પરંતુ, ગત વર્ષે જુલાઈથી લગભગ ૨૮ દેશો સાથે થયેલા એર બબલ કરાર હેઠળ વિશેષ ઈન્ટરનેશનલ પેસેન્જર્સ ફ્લાઈટ્‌સ સંચાલિત થઈ રહી છે. મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશને એક આદેશમાં જણાવ્યું કે, ભારત આવતી-જતી ઈન્ટરનેશનલ બિઝનેસ પેસેન્જર્સ ફ્લાઈટ્‌સ ફરી શરૂ કરવા સંબંધિત ર્નિણય ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયની સલાહથી લેવાયો છે.

તમામે મળીને ભારત આવતી-જતી ઈન્ટરનેશનલ પેસેન્જર્સ ફ્લાઈટ્‌સને ૧૫ ડિસેમ્બરથી ફરી શરૂ કરવાનો ર્નિણય લીધો છે. ગત અઠવાડિયે ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે સરકાર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્‌સ સેવાઓને શરૂ કરવાની પ્રક્રિયાનું નિરીક્ષણ કરી રહી છે.

અને તેમણે કહ્યું હતું કે સરકાર દુનિયાના કેટલાંક ભાગોમાં કોરોના વાયરસ મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખતા સેવાઓને સામાન્ય કરવા માગે છે. ભારતમાં ૧૫ ડિસેમ્બરથી નિયમિતરૂપે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્‌સ શરૂ થઈ જશે.

કોરોનાના લીધે અત્યાર સુધી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્‌સ રદ હતી. કોરોના વાયરસના દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિયન્ટથી સંક્રમણના સમાચાર આવતા દુનિયાના દેશો એલર્ટ થઈ ગયા છે.

રિપોર્ટ્‌સ અનુસાર, દક્ષિણ આફ્રિકામાં ૩૦થી વધારે મ્યુટેશનની સાથે એક નવો COVID વેરિયન્ટ B.1.1.529 ફેલાઈ રહ્યો છે. ત્યારે કોરોનાના નવા વેરિયન્ટના ખતરાને ધ્યાનમાં રાખતા ભારતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મહત્વનો ર્નિણય લીધો છે.

મંત્રાલયે હોંગકોંગ અને ઈઝરાયલને પણ તે દેશોની સૂચિમાં જાેડી દીધા છે જે દેશોના નાગરિકોએ ભારત આવતા પહેલા કોરોના ટેસ્ટ સહિત અન્ય ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે.

ગાઈડલાઈનમાં જણાવ્યા મુજબ, એરપોર્ટ ખાતે યુરોપ, યુનાઈટેડ કિંગડમ, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોટ્‌સવાના, ચાઈના, મોરેશિયસ, ન્યૂઝિલેન્ડ, ઝિમ્બાબ્વે અને હોંગકોંગ કન્ટ્રીમાંથી આવતા લોકોના ગાઈડલાઈન મુજબ કોવિડ-૧૯નો આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવાનો રહેશે ઉપરાંત દરેક ઈન્ટરનેશનલ પેસેન્જર્સ કે જેનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવે તે દરેક કેસનું સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે ફરજિયાત મોકલવાના રહેશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.