તામિલનાડુમાં ઓમિક્રોનનો વિસ્ફોટ: એક જ દિવસમાં 33 દર્દીઓ સામે આવ્યા
નવી દિલ્હી, કોરોનાના અત્યાર સુધીના સૌથી વધારે સંક્રમણ ફેલાવી શકતા ઓમિક્રોન વેરિએન્ટના કેસ દેશમાં વધી રહ્યા હોવાથી ચિંતાનો માહોલ છે. તેમાં પણ તામિલનાડુમાં તો એક જ દિવસમાં ઓમિક્રોનના 33 કેસ સામે આવ્યા બાદ રાજ્ય સરકાર ચોંકી ઉઠી છે.
હાલમાં દેશમાં 17 રાજ્યોમાં ઓમિક્રોનનો ફેલાવો થઈ ચુકયો છે.જેમાં સૌથી વધારે 65 કેસ મહારાષ્ટ્રમાં છે જ્યારે દિલ્હીમાં 57 અને તેલંગાણામાં ઓમિક્રોનના 38 કેસ સામે આવી ચુકયા છે.દેશમાં કુલ કેસનો આંકડો 250ને પાર પહોંચી ચુકયો છે.
તામિલનાડનુ સ્વાસ્થ્ય મંત્રી એમ એ સુબ્રમણ્યમનુ કહેવુ છે કે, હવે રાજ્યમાં કુલ 34 કેસ ઓમિક્રોનના છે.આ પૈકીના 33 કેસ તો એક જ દિવસમાં સામે આવ્યા છે. પીએમ મોદીએ આજે સાંજે ઓમિક્રોનના કારણે સર્જાયેલા ત્રીજી લહેરના ખતરા વચ્ચે ઉચ્ચાધિકારીઓની એક બેઠક બોલાવી છે.કેન્દ્ર સરકાર હવે રાજ્યોને વધારે આકરા પ્રતિબંધો લાગુ કરવા માટે ભલામણ કરે તેવી શક્યતા છે.HS