દંપતીની આત્મહત્યા, અંત્યેષ્ટિ માટે લાખ રૂપિયા છોડી ગયા
મેંગ્લોર, કર્ણાટકના ચિત્રદુર્ગમાં એક યુવા કપલે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આત્મહત્યા કરતા પહેલા તેમણે પોલીસને ફોન કરીને વોઇસ મેસેજ પણ મોકલ્યો હતો. એટલું જ નહીં, તેઓએ અંતિમ સંસ્કાર માટે ૧ લાખ રૂપિયા પણ છોડીને ગયા હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોની ઓળખ આર્ય સુવર્ણા (૪૫) અને તેમની પત્ની ગુના સુવર્ણા તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર,આપઘાત કરતા પહેલા તેમણે શહેરના પોલીસ કમિશનર એન શશીકુમારને ફોન કર્યો હતો અને એક વોઈસ મેસેજ પર મોકલ્યો હતો.
આ અંગે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, તેમણે દંપતીને રોકવાનો પૂરો પ્રયાસ કર્યો હતો પરંતુ તે થઈ શક્યું નહીં. કોલ મળ્યાના ૨૦ મિનિટ પછી પોલીસ જ્યારે તેમના ઘરે પહોંચી પરંતુ ત્યાં બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.SSS