દિગ્વિજયને કોમેડી કરવી હોય તો રાહુલને બોલાવી લેઃ નરોત્તમ મિશ્રા
નવી દિલ્હી, દેવી દેવતાઓ માટે અપમાનજનક ટિપ્પણી કરનારા કોમેડિયન મુનવ્વર ફારુખીને ભોપાલમાં શો કરવા માટે દિગ્વિજયસિંહે આમંત્રણ આપ્યુ હતુ. જેના પર હવે મધ્યપ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રા ભડકી ગયા છે.તેમણે કહ્યુ છે કે, દિગ્વિજયસિંહને કોમેડી કરાવવી હોય તો રાહુલ ગાંધીને બોલાવી લે.દેવતાઓનુ અપમાન કરનારાનો શો જાે અહીંયા થયો તો તેનુ સ્થાન જેલમાં જ હશે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે ટિ્વટ કરતા કહ્યુ હતુ કે, કુણાલ કામરા અને ફારુકીના શોનુ ભોપાલમાં હું આયોજન કરીશ.તમામ જવાબદારી મારી હશે પણ શરત એક છે કે તેમણે મારા પર જ કોમેડી કરવાની રહેશે.તેના પર તો હવે સંઘીઓ(આરએસએસના કાર્યકરો)ને વાંધો નહીં હોય.તમે ડરો નહીં અને ખાલી તારીખ કહો.હું આયોજન કરીશ.
હિન્દુ દેવી દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરવાના મામલામાં કોમેડિયન ફારુખીને જામીન તો મળી ગયા છે પણ અલગ અલગ શહેરોમાં તેના શો રદ થઈ રહ્યા છે ત્યારે હવે કોંગી નેતા તેમના સમર્થનમાં આવ્યા છે.
જેની સામે મધ્યપ્રદેશના ગૃહ મંત્રીનુ કહેવુ છે કે, દિગ્વિજયસિંહને કોમેડી કરાવવી હોય તો બટાકામાંથી સોનુ કાઢનારાને તેમજ છાતીમાં પાછળથી ચપ્પુ મારવાની વાત કરનારાને બોલાવી લે. એમપી સરકારના અન્ય એક મંત્રી ભુપેન્દ્રસિંહે પણ કહ્યુ છે કે, રાહુલ ગાંધી પણ મુનવ્વર ફારુકીથી ઓછા કોમેડિયન નથી.મુનવ્વરની જેમ રાહુલ પણ હિન્દુઓને અપમાનિત કરતી કોમેડી કરે છે.રાહુલ ગાંધી જ દિગ્વિજયસિંહ પર વધારે સારી રીતે કોમેડી કરી શકશે.SSS